નાણા મંત્રાલયે સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14, 500 કરોડ રુપિયાનું રોકાણ આવનારા કેટલાક દિવસોમાં કરશે
IDBI બેંક થઈ PCAમાંથી બહાર
RBI આવનારા દિવસોમાં 14,500 કરોડ રુપિયા PCA અંતર્ગત નાંખી શકે
ગત વર્ષ નવેમ્બરમાં 5500 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતુ
RBI આવનારા દિવસોમાં 14,500 કરોડ રુપિયા PCA અંતર્ગત નાંખી શકે
નાણા મંત્રાલયે સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14, 500 કરોડ રુપિયાનું રોકાણ આવનારા કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન(PCA) ફ્રેમવર્ક હસ્તક છે. નાણા મંત્રાલય મુખ્ય રુપે આરબીઆઈના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આવનારા કેટલાક દિવસોમાં 14,500 કરોડ રુપિયા નાંખી શકે છે. આ નિર્ણય બેંકોની નાણા મદદ માટે કરવામાં આવ્યા છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંક વર્તમાનમાં પીસીએ ફ્રેમવર્કમાં છે. જેના કારણે આના પર પ્રતિબંધ લાગેલા છે. જેમાં નવા લોન આ આપવા, મેનેજમેન્ટ વળતર અને ડાયરેક્ટર્સ ફી વગેરે સામેલ છે.
ગત વર્ષ નવેમ્બરમાં 5500 કરોડનું રોકાણ કરવામાં આવ્યુ હતુ
સૂત્રોનું કહેવું છે કે મંત્રાલયે રકમ આપવા બેંકોની ઓળખ કરી લીધી છે. રકમ આવનારા કેટલાક દિવસોમાં નાંખવામાં આવશે. તેનાથી બેંકોમાં વધારે લાભ થશે. જે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન અંતર્ગત છે. સરકારે નાણા વર્ષ માટે સાર્વજનિક ક્ષેત્રને બેંકોમાં નિયામકીય જરુરિયાતો પૂરી કરવા માટે 20, 000 કરોડ રુપિયાના ભંડોળની ફાળવણી કરી છે. સાર્વજનિક વિસ્તારમાં 12 બેંકોમાંથી પંજાબ એન્ડ સિંઘ બેંકોમાં ગત વર્ષ નવેમ્બરમાં 5500 કરોડ રુપિયાનું ભંડોળ નાંખવામાં આવ્યું હતુ.
IDBI બેંક થઈ PCAમાંથી બહાર
ઉલ્લેખનીય છે કે આ અઠવાડિએ આઈડીબીઆઈ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન(પીસીએ) ફ્રેમવર્કમાંથી હટાવી દેવાશે. આ અઠવાડિયે આઈડીબીઆઈ બેંકને નાણા પ્રદર્શનમાં સુધારાના આધારે લગભગ 4 વર્ષ બાદ આરબીઆઈના પીસીએના નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવી છે. નાણાકીય સ્થિતિ બગડવાનાં કારણે આરબીઆઈએ મે 2017માં આઈડીબીઆઈ બેંકને પીસીએ ફ્રેમવર્કમાં નાંખી દીધી હતી.
જાણો પીસીએ ફ્રેમવર્ક શું છે?
ઉલ્લેખનીય છે કે બેંક જ્યારે કારોબાર કરતા નાણાકીય સંકટમાં ફસાય છે. ત્યારે તેને સંકટમાંથી બહાર કાઢવા માટે આઈડીબીઆઈ સમય સમય પર દિશા નિર્દેશ જારી કરે છે અને ફ્રેમવર્ક બનાવે છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન આ પ્રકારનું ફ્રેમવર્ક છે. જે કોઈ બેંકની નાણા સ્વાસ્થ્યની સ્થિતિ નક્કી કરે છે. આ ફ્રેમવર્ક સમય સમય પર થયેલા બદલાવોની સાથે ડિસેમ્બર 2002 થી ચાલી રહ્યુ છે.