ભારતીય મૂળ સ્ટેન્ડઅપ કૉમેડિયન મંજૂનાથ નાયડૂની સ્ટેજ પર પરફૉમન્સ કરતા સમયે દુબઇમાં નિધન થઇ ગયુ.
રિપોર્ટ અનુસાર, ઑડિયન્સના ફૂલ હૉલમાં મંજૂનાથ પરફૉર્મ કરતો હતો અને ત્યારે હાઇ લેવલ એન્ઝાઇટીને કારણે મૃત્યુ થઇ ગઇ.
ખલીજ ટાઇમની રિપોર્ટ અનુસાર, 36 વર્ષના મંજૂનાથે ગત શુક્રવારે રૂટિન અનુસાર, દુબઇની હોટલ અબ બરશામાં સ્ટેજ પર પરફૉર્મ કરવા માટે પહોંચ્યો હતો. 2 કલાકની પરફૉર્મન્સ પૂરી થવાની જ હતી કે ત્યારે જ મંજૂનાથને કાર્ડિક એરેસ્ટ આવ્યો. જે પછી તે ખુરશી પર બેઠો પરંતુ થોડીવાર મંજૂનાથ સ્ટેજ પર પડી ગયો હતો.
કોમેડિયન મંજૂનાથ સ્ટેજ પર પડતાં દર્શકો જોર-જોરથી હસવા લાગ્યા હતાં. ઓડિયન્સને એમ હતું કે આ તેના પર્ફોમન્સનો જ એક ભાગ છે. જોકે, ખાસ્સા સમય સુધી મંજૂનાથે કોઈ મૂવમેન્ટ ના કરતાં ખ્યાલ આવ્યો કે તે હવે આ દુનિયામાં નથી.
મંજૂનાથના જવાથી તેના નિકટના મિત્રો, ચાહકો આઘાતમાં છે. મંજૂનાથના નિકટના મિત્ર મિરાદાદે કહ્યું હતું કે શો આખરી તબક્કામાં હતો. મંજૂનાથ તેના પિતા તથા પરિવારને લઈ વાત કરી રહ્યો હતો. હોલમાં હાજર તમામ લોકો ઘણાં જ ખુશ હતાં. મંજૂનાથ એન્કઝાયટી અંગે વાત કરતો હતો. થોડીવાર બાદે તે બેસી ગયો અને પછી પડી ગયો હતો. ત્યારબાદ બધા લોકો સ્ટેજ તરફ ધસી આવ્યા હતાં. તેને 20 મિનિટની અંદર જ મેડિકલ સારવાર મળી ગઈ હતી પરંતુ તેને બચાવી શકાયો નહીં.
મંજૂનાથના મિત્ર અનુસાર, તેનો જન્મ અબુ ધાબીમાં જ થયો હતો. ત્યારબાદ તે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. થોડાં વર્ષોથી તે દુબઈમાં સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે લોકપ્રિય હતો. તેના માતા-પિતાનું નિધન પહેલાં જ થઈ ચૂક્યું હતું. પરિવારમાં માત્ર તેનો ભાઈ છે, જે તેની મૃત્યુ વખતે શહેરમાં હાજર ન હતો.
પોતાના ફેવરિટ સ્ટેન્ડઅપ કૉમેડિયનનની યાદમાં ફેન્સ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.