ભારતીય મૂળના અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે કહ્યું કે જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370ની મોટાભાગની જોગવાઇને ભારત દ્વારા ખતમ કર્યા બાદ કાશ્મીરમાં ધરપકડના સમાચારને લઇને એમણે હેરાન છે.
અમેરિકી પ્રતિનિધિ સભાની સભ્ય પ્રમિલા જયપાલે કહ્યું, 'કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા 2000 લોકોની ધરપકડ કરવા અંગેના સમાચારને લઇને ખૂબ જ હેરાન છું...' ડેમોક્રેટ સાંસદ જયપાલ અમેરિકી પ્રતિનિધિ સભા (હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવ)માં ચૂંટનારા પહેલી અને એકમાત્ર ભારતીય મૂળની અમેરિકી મહિલા છે. અમેરિકી સંસદમાં માનવાધિકારના મુદ્દાને ઉઠાવનાર જયપાલે કહ્યું, 'લોકતંત્રમાં પારદર્શિતા, યોગ્ય પ્રક્રિયા, એકઠા થવા, બોલવા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી હોય છે. આ બિલકુલ જરૂરી છે, સર્વાધિક જટિલ પરિસ્થિતિઓમાં પણ.'
એમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ન્યૂયોર્ક ટાઇમ્સના એક સમાચાર શેયર કર્યા. અમેરિકી સાંસદ એડમ સ્કીફે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સૂચના સુધી પહોંચ જેવા મૂળભૂત માનવાધિકારોનું સંરક્ષણ કરવું જોઇએ. એક દિવસ પહેલા જ અમેરિકી કોંગ્રેસ સભ્ય પીટર કિંગે કાશ્મીરને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ પર ચર્ચા કરવા માટે ન્યૂયોર્કમાં નિયુક્ત ભારતીય કોન્સ્યૂલેટ જનરલની મુલાકાત કરી હતી.
પીટરે કહ્યું, 'કાશ્મીરને લઇને ભારત-પાક વિવાદ પર ચર્ચા કરવા માટે ભારતીય કોન્સ્યૂલેટ જનરલને મળ્યો. એમને કહ્યું કે હું ભારતની કાર્યવાહીને સમજુ છું અને પાકિસ્તાન અને કાશ્મીરમાં ઇસ્લામી તત્વોને લઇને ચિતિંત છું. પરંતુ મામલાની સંવેદનશીલતાને જોતા અને બંને દેશો પરમાણુ શક્તિ ધરાવતા હોવાને કારણે કૂટનીતિક સમાધાનનો અનુરોધ કરું છું.
જ્યારે કોંગ્રેસના સભ્ય ડોન બેયરે કહ્યું, 'કાશ્મીરમાં, ખાસ કરીને સંચાર પર પૂર્ણ પ્રતિબંધો યથાવત રહેવાને લઇને હું ખુબ જ ચિંતિત છું. નોંધનીય છે કે, શનિવારે કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં પ્રતિબંધોને હટાવી દેવાયા. સ્થિતિમાં ધીરે ધીરે સામાન્ય બની રહી છે.