એક તરફ જ્યાં દેશમાં ઘણા પ્રસિદ્ઘ મંદિરોમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે ત્યારે બીજી તરફ દેશમાં એક એવું પણ મંદિર છે જ્યાં પૂજરી મહિલા છે. આ મંદિરનો સંબંધ ત્રેતાયુગ છે. જાણો ક્યાં આવેલું છે આ અનોખુ મંદિર અને શું છે તેનું ધાર્મિક મહત્વ?
બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં કમતૌલમાં આ અનોખું મંદિર આવેલુ છે. આ મંદિરમાં દેવી અહલ્યા બિરાજમાન છે. ત્રેતાયુગમાં જન્મી આ દેવી અહલ્યા જેનું ઉદ્ઘાર ભગવાન રામના ચરણોના સ્પર્શથી થયો હતો. રામાયણમાં આ ઘટનાનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. જનકપુર જતી વખતે રસ્તામાં ભગવાન રામનો પગ એક શિલા પર પડે છે અને તે શિલા જીવિત સ્ત્રીમાં બદલાઈ જાય છે. આ સ્ત્રી દેવી અહલ્યા હતા.
દૂર-દૂર સુધી આ મંદિર પોતાની વિશેષતા માટે જાણીતું છે આ મંદિરમાં પૂજારીની ભૂમિકા મહિલા ભજવે છે. આ મંદિરને શાપ મુક્તિનું સ્થળ પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં આસ્થા રાખનારા અને શ્રીરામના ભક્તો દૂર-દૂરથી આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.
દેવી અહલ્યા ગૌતમ ઋષિની પત્ની હતી અને તે ખૂબ જ આકર્ષક લાગતી હતી. એકવાર સ્વર્ગલોકના દેવતા ઈંદ્ર દેવી અહલ્યા પર મોહી ગયા. ઈન્દ્ર જાણતા હતા કે દેવી અહલ્યા તેમના વાસ્તવિક સ્વરૂપમાં પ્રેમ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરે કારણકે તે પતિવ્રતા સ્ત્રી છે. માટે જ્યારે ગૌતમ ઋષિ પોતાના આશ્રમમાં નહોતા ઈન્દ્ર ગૌતમ ઋષિનું રુપ ધારણ કરીને આશ્રમમાં પહોંચ્યા અને દેવી અહલ્યા સાથે પ્રેમ કરવા લાગ્યા.
જ્યારે ઈન્દ્ર ત્યાંથી નીકળી રહ્યા હોય છે ત્યારે સ્નાન કરીને ગૌતમ ઋષિ પાછા ફરે છે અને ઈન્દ્રને તેમના વેશમાં નીકળતા જોઈને ઓળખી જાય છે. ગુસ્સામાં ગૌતમ ઋષિ ઈન્દ્રના માયાવી સ્વરુપને ન ઓળખી શકવાને કારણે પત્નીને પત્થરની શિલા બનવાનો શ્રાપ આપે છે. અને ઈન્દ્રને શ્રાપ આપે છે કે તેમના વૈભવનો નાશ થઈ જશે. આનાથી ઈંદ્રલોક પર અસુરોને અધિકાર મળી જાય છે. અહલ્યા ભગવાન રામના ચરણસ્પર્શને કારણે શ્રાપથી મુક્તિ મેળવે છે.
આ તીર્થસ્થાન પર રીંગણનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. અહીં આવીને લોકો મન્નત માંગે છે અને પૂરી થાય તો રીંગણ અર્પણ કરે છે.