પાકિસ્તાને ભારતના દબાણ સામે ઝૂકતા કથિત રીતે ધરપકડ કરાયેલ ભારતીય દૂતાવાસના બંન્ને કર્મચારીઓને છોડી મુક્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ બંન્ને કર્મચારીઓ સુરક્ષિત રીતે ફરી ભારતીય મિશનમાં પરત ફર્યા છે.
પાકિસ્તાને બંન્ને અધિકારીઓને છોડી મુક્યા
હિટ એન્ડ રનના આરોપસર કરી હતી ધરપકડ
ભારતે કહ્યું- અધિકારીઓની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે ઇસ્લામાબાદથી તેમના ગાયબ થવાના સમાચાર આવ્યા હતા, ત્યારબાદથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ પર તેમનું અપહરણ કરવા અંગેની ચર્ચાઓ શરૂ થઇ હતી.
પાકનો દાવો - અકસ્માત કરીને ભાગી રહ્યા હતા બંન્ને ભારતીય અધિકારીઓ
આપને જણાવી દઈએ કે રવિવારે સવારે ઇસ્લામાબાદમાં તૈનાત બે ભારતીય રાજદ્વારીઓના અપહરણ થયાના સમાચાર પછી, પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો કે તેઓની હિટ એન્ડ રન કેસમાં ઈસ્લામાબાદ પોલીસે તેમની ધરપકડ કરી છે.
The two officials of the Indian High Commission to Pakistan who went missing and were reportedly arrested earlier today, have been released and are back at the Indian mission: Sources pic.twitter.com/n9bFapLoV0
જીઓ ટીવીના એક અહેવાલ મુજબ, દૂતાવાસ નજીકના રસ્તા પર ભારતીય રાજદ્વારીઓની BMW કાર એક પાકિસ્તાની નાગરિક સાથે અથડાઇ હતી અને તેમણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સ્થાનિક નાગરિકોએ ભારતીય દૂતાવાસના બંને કર્મચારીઓને પકડી પોલીસના હવાલે કર્યા હતા.
અધિકારીઓની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારતીય અધિકારીઓને કોઈપણ રીતે ત્રાસ આપવો જોઇએ નહીં. અધિકારીઓની સલામતી સુનિશ્ચિત કરવાની અને રાજનૈતિક રીતે નિરાકરણ લાવવાની જવાબદારી પાકિસ્તાનની છે. પાકિસ્તાનને બંને અધિકારીઓને સત્તાવાર વાહનોમાં બેસાડીને વહેલી તકે ભારતીય હાઈકમિશન પહોંચાડવામાં આવે.