ભારતીય સેના પ્રમુખ એમએમ નરવણે ગુરુવારે વિશાખાપટ્ટનમમાં ભારતીય નેવીના સ્ટીલ્થ ફાયટર વોરશિપ (આઈએનએસ કાવારત્તી’ને સોંપશે. આ પ્રોજેક્ટ 28 અંતર્ગત દેશમાં તૈયાર થયેલી ચાર એન્ટી સબમરીન ફાયટર સ્ટીલ્થ જહાજમાનું છેલ્લુ જહાજ છે. 3 યુદ્ધ જહાજ પહેલા જ ભારતીય નેવીને સોંપવામાં આવી ચુક્યું છે.
આજે નૌસેનાને મળશે યુદ્ધ જહાજ INS કાવારત્તી
INS કાવારત્તી સંપૂર્ણ રીતે ભારતમાં તૈયાર કરાયું છે
પ્રોજેક્ટ 28 હેઠળ સ્વદેશી નિર્મિત 4 સ્ટીલ્થ યુદ્ધ જહાજ બનાવાયા
આઈએનએસ કાવારત્તીની ડિઝાઈન ભારતીય નેવીના ઈન્ટર્નલ સંગઠન નૌસેના ડિઝાઈન મહાનિર્દેશાલય(ડીએનડી)એ તૈયાર કરી છે. જેનું નિર્માણ કોલક્તાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સે કર્યુ છે. નેવી અધિકારીઓના જણાવ્યાનુંસાર આઈએનએસ કાવારર્તીને સબમરીનને શોધી તેને ધ્વસ્ત કરવા માટેની ક્ષમતા ધરાવતા હથિયારો અને ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે.
Indian Army Chief General MM Naravane to commission the last of four indigenously built Anti-Submarine Warfare (ASW) stealth corvettes INS Kavaratti (in file photo) under Project 28 in Vishakhapatnam tomorrow. pic.twitter.com/eUc1VhLxOF
આ જહાજને એક ભરોસા પ્રાત્ર સેલ્ફ ડિફેન્સ ક્ષમતાથી લેસ કરવામાં આવ્યું છે. આ લાંબા અંતરથી પણ અભિયાનો માટે સારી મજબૂતી રાખે છે. અધિકારીઓના જણાવ્યાનુંસાર જહાજમાં 90 ટકા ટેક્નોલોજી સ્વદેશી છે અને આનો સુપરસ્ટ્રક્ચર માટે કાર્બન કંપોઝિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતીય જહાજ નિર્માણમાં મોટી સફળતા છે.
આઈએનએલ કાવારત્તી નામ 1971માં બાંગ્લાદેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે યુદ્ધમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવનારા ફાઈટર જહાજ આઈએનએસ કાવારત્તીના નામ પર મળ્યું છે. પૂર્વ આઈએનએસ કાવારત્તી અરનાક્લાસ મિસાઈલ યુદ્ધજહાજ હતુ.