ભારતીય નૌસેનાએ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન અને ટેક્નિકલ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમીશનર ઓફિસરના પદો પર ભરતી માટે જાહેરાત કરી છે.
ભારતીય નેવીમાં નોકરીની તક
કુલ 181 ઉમેદવારો માટે ભરતી
જાણો વધુ માહિતી વિશે
નેવીમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે કામની ખબર છે. ભારતીય નૌસેનાએ એક્ઝિક્યુટિવ, એક્ઝુકેશન અને ટેક્નિકલ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમીશન ઓફિસરના પદો પર ભરતી માટે અધિસૂચના જાહેર કરી છે. નૌસેના દ્વારા જાહેર નોટિફિકેશન અનુસાર એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં જનરલ સર્વિસ હાઈડ્રો કેડરના 45, એયર ટ્રાફિક કંટ્રોલરના 4, ઓબ્જર્વરના 8, પાયલેટના 15 અને લોજિસ્ટિક્સના 18 પદો પર ભરતી જાહેર કરી છે. આ પ્રકારે, એજ્યુકેશન બ્રાન્ચમાં કુલ 18 પદો અને ટેક્નિકલ બ્રાન્ચમાં કુલ 18 પદો અને ટેક્નિકલ બ્રાન્ચમાં કુલ 73 પદો માટે યોગ્ય ઉમેદવારો માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
આ રીતે કરો અરજી
ભારતીય નૌસેનામાં વિવિધ જાહેરાત બ્રાન્ચ શોર્ટ સર્વિસ કમીશન ઓફિસરની ભરતી માટે અરજીના ઈચ્છુક ઉમેદવાર નેવીના ઓફિશિયલ ભરતી પોર્ટલ, joinindiannavy.gov.in પર ઉપલબ્ધ કરવવામાં આવેલા ઓનલાઈન એપ્લીકેશન ફોર્મના માધ્યમથી અરજી કરી શકશે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 18 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે અને ઉમેદવાર 5 ઓક્ટોમ્બર 2021 સુધી પોતાની એપ્લીકેશન ઓનલાઈન સબમિટ કરી શકશે. નેવીમાં અરજી માટે કોઈ ફી નક્કી નથી કરવામાં આવી.
શૌક્ષણિક લાયકાત
ટેક્નિકલ બ્રાન્ચ
ભારતીય નૌસેનાની ટેક્નિકલ શાખામાં એસએસીઓ પદો માટે અરજીના ઈચ્છુક ઉમેદવારોને સંબંધિત ટ્રેડમાં ઓછામાં ઓછા 60 ટકા અંકોની સાથે BE/B.tch કરેલું હોવું જોઈએ.
ત્યાં જ એજ્યુકેશન બ્રાન્ચ માટે ઉમેદવારોને સંબંધિત વિષયોની સાથે એમએસસી અથવા એમએ અથવા BE/BTEch 60 ટકા માર્ક્સ સાથે પાસ થવા જોઈએ.
આ રીતે એક્ઝિક્યુટિવ બ્રાન્ચ માટે ઉમેદવારોને 60 ટકા માર્ક્સની સાથે BE/BTEch અથવા MBA અથવા BSC/B.com અથવા MSA/MSC (IT) ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરવું જરૂરી છે.
સાથે જ દરેક બાન્ચમાં અરજી માટે નિર્ધારિત ઉંમર સીમા અનુસાર, ઉમેદવારનો જન્મ 2 જુલાઈ 1997થી પહેલા 1 જાન્યુઆરી 2003 બાદ ન હોવો જોઈએ.