NS વિક્રમાદિત્ય પર શુક્રવારે અચાનક આગ લાગી ગઇ. જહાજ પર હાજર ક્રૂ એ તરત આગ ઓલવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો. થોડીક જ ક્ષણોમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો પરંતુ એ દરમિયાન એક અધિકારી શહીદ થઇ ગયા.
નવી દિલ્હી: દેશનું સૌથી મોટું વિમાનવાહક જહાજ INS વિક્રમાદિત્ય પર શુક્રવારે આગ લાગવાથી નૌસેના એક ઓફિસરનું મોત થઇ ગયું છે. આગ એ સમયે લાગી જ્યારે આ જહાજ કર્ણાટકના કારવાર બંદરગાહ પહોંચી રહ્યું હતું. ભારતીય નૌસેના તરફથી જણાવવામાં આવ્યું કે લેફ્ટિનેન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણના નેતૃત્વમાં જહાજ પર લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ક્રૂ ની તરત એક્શનના કારણે જહાજને વધારે નુકસાન થયું નથી. જો કે એ દરમિયાન આગ અને ધુમાડાના કારણે લેફ્ટિનેન્ટ કમાન્ડર ઝપેટમાં આવી ગયા.
નૌસેનાએ ઘટનાની તપાસ માટે બોર્ડ ઑફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. નૌસેનાએ એક નિવેદનમાં કહ્યું, 'લેફ્ટિનેન્ટ કમાન્ડર ડીએસ ચૌહાણે બહાદુીથી પ્રભાવિત ડબ્બામાં આગ ઓલવવાનો પ્રયત્નનું નેતૃત્વ કર્યો.'
નૌસેનાએ કહ્યું કે આગને નિયંત્રિત કરી લેવામાં આવી, પરંતુ અધિકારી અગ્નિશમનના પ્રયત્નો દરમિયાન ઘુમાડાના કારણે બેહોશ થઇ ગયા.
જણાવી દઇએ કે આ પહેલા વર્ષ 2016માં પણ આઇએનએસ વિક્રમાદિત્ય ઘટનાનો શિકાર થઇ ગયો છે. ત્યારે ઝેરી ગેસ લીક થવાથી નૌસેનાના બે કર્મીઓનો મોત થઇ ગયા હતા.