ભારતીય વાયુસેનાએ વધુ એક વાર સફળ પરિક્ષણ કરીને સિદ્ધી મેળવી છે. નૌસેનાએ મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. નૌસેનાએ આઈ.એન.એસ. કોચી અને ચેન્નાઈના જહાજમાં આ સફળ પરિક્ષણ કર્યુ છે.
પરીક્ષણ બાદ ભારતીય નૌસેના એવા દેશમાં સામેલ થયું છે કે જે દેશો પાસે આ ખાસ શક્તિ છે. આ મિસાઈલ 70 કિલોમીટરની રેન્જમાં આવતા મિસાઈલો, લડાકૂ વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન, દેખરેખ રાખતા વિમાનો અને હવાઈ ચેતવણી તથા નિયંત્રણ પ્રણાલીને પણ તોડી પાડવામાં સક્ષમ છે.
હવામાં એક સાથે આવતા અનેક દુશ્મનો પર 360 ડિગ્રી ફરીને એક સાથે હુમલો કરી શકે છે. તો પરિક્ષણ સમયે નૌસેનાએ હવામાં કેટલાક ટાર્ગેટને પણ ધ્વસ્ત કર્યાજમીન પરથી હવામાં વાર કરનારા આ મિસાઈલોને કોલકત્તા ક્લાસના વિધ્વંસ કરતા ખતરનાક યુદ્ધ જહાજોમાં લગાવવામાં આવી શકે છે. ભવિષ્યમાં ભારતીય નૌસેનાના પણ તમામ જહાજોમાં આનો ઉપયોગ જોવા મળશે.