કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મિત્રોને ફાયદો પહોંચાડવા માટે પાછલા દરવાજાથી એન્ટ્રી અપાવી રહ્યાં છે. અદાણીને સબમરીનનો અનુભવ ન હોવા છતાં સરકાર તેને આ રીતે ફાયદો કરાવવા તલપાપડ થઈ રહી છે.
સરકાર 45000 કરોડનો કોન્ટ્રાક્ટ અદાણીને આપવા માગે છે
સબમરીન બનાવવાનો કોઈ અનુભવ અદાણી પાસે નથી
અદાણીને ફાયદો કરાવવા સરકાર હાથપગ મારી રહી છે
રક્ષા મંત્રાલય અને નૌ સેના આ મુદ્દે સામ સામે
અદાણી ગ્રુપને સબમરીનનો કોન્ટ્રાક્ટ આપવા બાબતે રક્ષા મંત્રાલય અને નૌ સેના સામ સામે આવી છે. 45000 કરોડ રુપિયાનાં આ 75 -Iપ્રોજેક્ટ માટે અદાણી ડિફેન્સ અને હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ(HSL) જોઈન્ટ વેન્ચર હેઠળ પ્રસ્તાવ મુંકવામાં આવ્યો હતો. જેને નેવીએ ફગાવી દીધો છે. એક તરફ નેવી તેના વિરોધમાં છે તો બીજી તરફ રક્ષા મંત્રાલયનું કહેવું છે કે આ પ્રકારનાં જોઈન્ટ વેન્ચરને તક આપવી જોઈએ. મંત્રાલયનું કહેવું છે કે આ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા હેઠળનો સૌથી મોટા ડિફેન્સ પ્રોજેક્ટમાંનો એક છે.
નૌ સેનાએ 2 પ્રસ્તાવ પર પસંદગીનો કળશ ઢોળ્યો
એક અખબારમાં છપાયેલા એક સમાચાર મુજબ સૂત્રોએ જણાવ્યું હતું કે મેક ઈન ચાઈના હેઠળ સૌથી મોટો ડિફેન્સ પ્રોજેક્ટ માટે 5 પ્રસ્તાવ આવ્યાં છે. જેમાંથી નેવીની એમ્પાવર્ડ કમિટીએ બે પ્રસ્તાવ પસંદ કર્યાં છે. જેમાં મઝગામ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ અને લારસન એન્ડ ટૂબ્રોનો સમાવેશ થયો છે. આ બન્નેને જ સબમરીન બનાવવાનો સારો અનુભવ છે. એમ્પાવર્ડ કમિટીની સલાહને ન ગણકારીને સરકાર અદાણી જેવીને 75 આઈ પ્રોજેક્ટનાં સોદા માટે પસંદ કરી રહી છે.
PM’s & RM’s silence in the ₹45,000 Cr Submarines project is intriguing & raises further suspicion as to-
1. What is BJP Govt hiding?
2. Whay are PM/RM ‘mum’?
3. Why did Govt violate DPP,2016?
4. Why was ‘Empowered Committee’ of Navy overruled?
5. Is Govt batting for Adani Def? https://t.co/aT2Qk5R8jq
બન્નેની વચ્ચે વિવાદનું આ જ કારણ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શને સલાહ આપી છે કે HSL- અદાણી જોઈન્ટ વેન્ચરને પણ સમાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન હસ્તક છે. ત્યારે સરકારનાં આ પ્રોજેક્ટ માટે અદાણી જેવીને પસંદ કરવા બાબતે કોંગ્રેસે પ્રહાર કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર દેશની સુરક્ષા સાથે રમત કરી રહ્યું છે.
અદાણીને સબ મરીનનો અનુભવ નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં મિત્રોને ફાયદો કરાવવા પાછલા દરવાજે એન્ટ્રી અપાવી કહ્યાં છે. અદાણી ડિફેન્સને સબમરીન બનાવવાનો કોઈ અનુભવ નથી.