ભારત પોતાની સુરક્ષા અને શક્તિને સતત વધારવા અને મજબૂત કરવામાં લાગ્યું છે. આ હેઠળ કેન્દ્રીય આયુષ અને રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે મુંબઈના મઝગામ ડૉક પર 5મી સ્કૉર્પીન શ્રેણીની સબમરિન INS વાગિરને લોન્ચ કરી.
ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો
5મી સ્કૉર્પીન શ્રેણીની સબમરિન INS વાગિરને લોન્ચ
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે INS વાગિરને લોન્ચ કરી
સબમરિન INS વાગિરથી સમુદ્રમાં ભારતીય નૌસેનાની તાકાત વધશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાઇકે ગુરૂ અરબ મહાસાગરમાં સબમરીન INS વાગિરને લોન્ચ કરી. સબમરિનના નિર્માણ રક્ષા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ મઝગામ ડૉક શિપબિલ્ડર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ પ્રોજેક્ટ 75 હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે.
સબમરિનો માટે પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ પર ફ્રેંચ સહયોગી નૌસેના સમૂહની સાથે કામ કરી રહ્યું હતું, આ કરારની સાથે 23 હાજર કરોડ રૂપિયાથી વધુની કિંમત હતી. INS કલરવી, 6 સ્કૉર્પીન શ્રેણીની સબમરિનોમાંથી પહેલી, 2015માં શરૂ થઇ ગઇ હતી. MDL દેશના પ્રગતિશીલ સ્વદેશી યુદ્ધજહાજ નિર્માણ કાર્યક્રમમાં હંમેશા સૌથી આગળ રહ્યું છે. આ સબમરીન ગુપ્ત માહિતી મેળવવા માટે માહિર હોય છે, એટલું જ નહીં માઇન્સ પાથરવા, પરમાણુ હથિયારોથી હુમલો અને વિસ્તાર સર્વિલાંસ જેવી ખાસિયતોથી તમામ રીતે સજ્જ હોય છે.