ભારતીય વાયુસેનામાં હાલ તેજસની એન્ટ્રી પછી ભારતીય નૌકાદળ પણ એક નવા સબમરીન સાથે સજ્જ થયું છે. INS ખંડેરી સબમરીન કલવરી શ્રેણીની બીજી સબમરીન છે. વિશ્વનું સૌથી શાંત સબમરીન ગણાતું INS ખંડેરી સાઈલન્ટ કીલરના નામે ઓળખાય છે.
વિશ્વના સૌથી શાંત સબમરીન INS ખંડેરીની ભારતીય સેનામાં એન્ટ્રી
૪૫ દિવસ સુધી પાણીમાં રહી શકશે
એક સફરમાં ૧૨૦૦૦ કિમીની અંતર કાપી શકશે
૫૦ કિમી સુધીના દુશ્મન ઉપર મિસાઈલથી વાર કરી શકશે.
ભારતીય નૌકાસેનાએ કલવરી શ્રેણીની બીજી સબમરીન INS ખંડેરીને નૌકાસેનામાં દાખલ કરીને દેશની સુરક્ષા કડીમાં મહત્વનો વધારો કર્યો છે. જાન્યુઆરી ૨૦૧૭માં લોન્ચ થયા બાદ ૨ વર્ષ સુધી નૌકાસેનાએ તેનું પરીક્ષણ કર્યા બાદ તે હવે નૌકાસેનાનો અભિન્ન ભાગ બની ગઈ છે.
લંબાઈ
67 મીટર
પહોળાઈ
6.2 મીટર
ઉંચાઈ
12.3 મીટર
કુલ વજન
1550 ટન
ઝડપ
35 કિમી પ્રતિ કલાક
બેટરી
360
કેબલ
60 કિમી
એક સફર
૧૨૦૦૦ કિમી સુધી ખેડી શકે.
૪૫ દિવસ સુધી પાણીમાં રહી શકશે
INS ખંડેરી પાણીની સપાટીના ૩૦૦ મીટર ઊંડે ૪૫ દિવસ સુધી રહી શકશે. તે કલાકના ૩૫ કિમીની ઝડપે અંતર કાપી શકશે. તે ૬૭ મીટર લંબાઈ, ૬.૨ મીટર પહોળાઈ અને ૧૨.૩ મીટર ઉચાઇ ધરાવે છે. તેનું વજન ૧૫૫૦ ટન છે.
એક સફરમાં ૧૨૦૦૦૦ કિમીનું અંતર કાપી શકશે
વર્તમાન સમયમાં હિન્દ મહાસાગર અને પૂર્વમાં ચીનની વધતી ઘુસણખોરીને ડામવા માટે INS ખંડેરી ઉપયોગી સાબિત થઇ શકે છે. એક સાથે ૧૨૦૦૦ કિમીની સફર કાપવા માટે સબમરીનમાં ૭૫૦ કિલોની ૩૬૦ બેટરીઓ લગાડવામાં આવી છે. આ બેટરીને ચાર્જ કરવા માટે ૧૨૫૦ વોટ્સના ૨ ડીઝલ જનરેટર્સ લગાવેલા છે.
શિવાજીના કિલ્લા પરથી નામકરણ
મુંબઈની દક્ષિણે આવેલા દ્વીપનો ઉપયોગ કરીને મરાઠાઓએ ૧૭મી સદીમાં પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખ્યું હતું. આ દ્વીપનું નામ છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા ખંડેરી ઉપરથી રાખવામાં આવ્યું હતું. આ દ્વીપ પાણીની વચ્ચે હોવાથી અભેદ્ય ગણાતો હતો. એ જ રીતે પાણીની વચ્ચે રહીને ખંડેરી સબમરીન પણ દુશ્મનો માટે અભેદ્ય રહેશે.
શું છે ખાસ બાબત?
નૌકાદળના મતે સ્કોર્પિયન શ્રેણીની તમામ ૬ સબમરીન નૌકાસેનાની રાફેલ ગણી શકાય. ખંડેરી એક સેકન્ડ જનરેશન સબમરીન છે. તે લેટેસ્ટ સેન્સર્સ, એન્ટી શીપ મિસાઈલ્સ અને ટોરપીડોથી સુસજ્જ છે. તે બિલકુલ અવાજ પેદા કર્યા વગર પાણીમાં તરી શકે છે આથી દુશ્મનોના સેન્સર્સમાં તેનું પકડાવવું ખુબ મુશ્કેલ છે. આથી તેને સાઈલન્ટ કિલર પણ કહેવામાં આવે છે.
તેની ટોપ સ્પીડ આશરે ૨૦ નોટ્સ છે. (નોટીકલ માઈલ પ્રતિ કલાક) આટલા મોટા મશીનો હોવા છતાં આ સબમરીનમાં ૮ અધિકારીઓ અને ૩૫ સેલરોને રહેવાની જગ્યા છે.