બ્રેકિંગ ન્યુઝ
VTV / Indian Navy Deploys Warships Aircraft Gulf Amid US Iran tension
Hiren
Last Updated: 11:59 PM, 8 January 2020
ADVERTISEMENT
કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય નૌસેનાએ ખાડીમાં પોતાના યુદ્ધ જહાજને તૈનાત કર્યા છે. જોકે આ યુદ્ધ જહાજ યુદ્ધ લડવાના ઉદ્દેશ્યથી નહીં પરંતુ ભારતની દરિયાઈ વ્યાપારિક માર્ગના વેપારીઓ માટે સુરક્ષા બનાવી રાખવા માટે કર્યું છે.
ખાડીમાં યુદ્ધ જહાજની તૈનાતીને લઇને નેવી તરફથી કહેવામાં આવ્યું છે કે આવું દરિયાઈ રસ્તે થઇ રહેલ વેપારની સુરક્ષા યોગ્ય કરવાને લઇને કરવામાં આવ્યું છે અને બન્ને દેશોની પરિસ્થિતિ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
નેવી તરફથી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય-નૌસેના ખાડી ક્ષેત્ર દરેક સ્થિતિ પર નજર બનાવેલ છે અને દરિયાઇ માર્ગથી થનાર વેપાર અને ભારતીય ફ્લેગ મર્ચેન્ડ વેસલ્સની સુરક્ષા તપાસવા માટે આ વિસ્તારમાં હાજર છે. ભારતીય નૌસેના દેશના દરિયાઈ હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
જણાવી દઇએ કે અમેરિકન એર સ્ટ્રાઇકમાં ઈરાન સેના જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ ઈરાને બદલો લેવા માટે કાર્યવાહી કરતા ઇરાકમાં અમેરિકન સેનાના કેમ્પો પર એક બાદ એક મિસાઈલો છોડી હતી. ઈરાને આ પોતાની કાર્યવાહીને જણાવતા કહ્યું કે હુમલામાં 80 અમેરિકન સૈનિકો માર્યા ગયા. ત્યારે પેન્ટાગન તરફથી કહેવામાં આવ્યું છે કે તેમાં કોઈનો જીવ નથી ગયો અને પહેલા અલર્ટ કરી દેવાના કારણે સૈનિકોના જીવ બચી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.