નૌસેના જહાજોને પરમાણુ સંચાલિત પ્લેટફોર્મોથી બદલવા ઈચ્છે છે
નૌસેનાના સરકાર પાસેથી પરવાનગી માંગી છે
નૌસેનાએ 6 સબમરિનની જરુરીયાત
ભારતીય નૌસેનાએ 6 સબમરિનની જરુરીયાત છે. નૌસેનાએ આ માટે 6 પારંપરિક હુમલાવર જહાજોને પરમાણુ સંચાલિત પ્લેટફોર્મોથી બદલવા ઈચ્છે છે. પ્રશાંત મહાસાગરમાં બદલાયેલી રણનીતિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી(CCS) તરફથી અપ્રુવડ 30 વર્ષીય સબમરીન નિર્માણ યોજનામાં ફેરફાર કરવા માટે લઈને મંજૂરી માટે કેન્દ્ર સરકારના સંપર્ક કર્યો છે.
નૌસેનાના સરકાર પાસેથી પરવાનગી માંગી છે
રિપોર્ટ્સના જણાવ્યાનુસાર 18 પારંપરિક ડીઝલ હુમલાની સબમરીનની જગ્યાએ નવા સબમરીન સામેલ કરવા માટે નૌસેનાના સરકાર પાસેથી પરવાનગી માંગી છે. આ 18 સબમરિનમાં એક ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપલ્શનન અને 6 પરમાણુ હુમલાવાળી સબમરીન સામેલ છે. નૌસેનાનો આ પ્લાન ચીનની વધતી સબમરીન તાકાત અને ભવિષ્યમાં હિંદ મહાસાગરમાં પોતાની પક્કડ બનાવી રાખવાનો ભાગ છે.
3 નવી કલવરી શ્રેણીની સબમરિન છે
ભારતીય નૌસેનાની પાસે આ સમયે 12 જુની પારંપરિક હુમલાવર સબમરીન અને 3 નવી કલવરી શ્રેણીની સબમરિન છે. 1999માં અટલ બિહારી વાજપઈની સરકારે 24 ડીઝલ હુમલાવાળી સબમરીનને સામેલ કરવા માટે 30 વર્ષીય સબમરીન યોજનાને મંજૂરી આપી હતી. તેવામાં અત્યાર સુધીમાં આમાથી પહેલી સબમરીનને ડિસેમ્બર 2017માં 23, 652 કરોડ રુપિયાની પરિયોજનાના ભાગના રુપે લોન્ચ કરવામાં આવી હતી. 2005માં આને સ્વીકૃતિ અપાઈ હતી.
30 વર્ષ જુની યોજનામાં ફેરફારને મંજૂરી મળી જાય છે તો...
જાણકારોના અનુસાર સરકાર તરફથી 30 વર્ષ જુની યોજનામાં ફેરફારને મંજૂરી મળી જાય છે તો નૌસેના જરુરિયાતોની સ્વીકૃતિ(એનઓએન) માટે રક્ષા મંત્રાલય તરફ વલણ કરશે. નૌસેનાના અંદાજા અનુસાર આ પરિયોજનાને પૂરી થવામાં ઓછોમાં ઓછા 10 વર્ષ લાગી શકે છે.