હનીટ્રેપ કાંડમાં નેવીના 7 જવાન ઝડપાતા ભારતીય નૌસેનાએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય નૌસેનાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે એક મોટો નિર્ણય લીધો છે. નૌસેનાના જવાનો હવે ફેસબુક વાપરી શકશે નહીં. નેવેલ બેઝસ, ડોક યાર્ડ પર સ્માર્ટ ફોન વાપરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. યુદ્ધ જહાજ પર પણ જવાનો સ્માર્ટ ફોન વાપરી શકશે નહીં.
હનીટ્રેપ કાંડને લઈને નેવીએ લીધો આ નિર્ણય
નેવીમાં ફેસબુક પર પ્રતિબંધ
ડોક યાર્ડ અને નેવેઝ બેઝ પર સ્માર્ટ ફોનની પરવાનગી નહીં
ઉલ્લેખનીય છે કે 7 જવાનો પાકિસ્તાનને ગોપનિય માહિતી મોકલી રહ્યા હતા. સોશિયલ મીડિયાના મારફતે માહિતી મોકલાતી હોવાની નેવીને શંકા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે નૌસેનાના ડોકયાર્ડ, ઓન-બોર્ડ યુદ્ધ સ્થળોએ પણ સ્માર્ટફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
The “stringent” step has been taken by the force soon after seven naval personnel were caught leaking sensitive information to enemy intelligence agencies over social media. (2/2) https://t.co/IxIz3UpMT1
આ પગલું ઉઠાવવાનું કારણ 7 સૈનિકો છે જેઓએ દુશ્મનને અને ખાનગી એજન્સીઓને કેટલીક ગુપ્ત સૂચનાઓ લીક કરી હતી અને તેઓ પકડાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશ પોલીસે 20 ડિસેમ્બરે પાકિસ્તાની સંપર્કના એક જાસૂસી રેકેટને ઝડપવાનો દાવો કર્યો. પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં પોલીસની ગુપ્ત શાખાએ કેન્દ્રીય ખાનગી એજન્સીઓ અને નૌસેનાના ખાનગી વિભાગ સાથે મળીને ઓપરેશન ડોલ્ફિન્સ નોઝ ચલાવ્યું અને જાસૂસી રેકેટને ખુલ્લું પાડ્યુ હતું.