મિશન મૂનને પૂર્મ કરવા માટે ચંદ્રયાન-2 સોમવારનાં બપોરનાં 2:51 કલાકે ચંદ્રમા સાઉથ પોલને માટે રવાના થશે. ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ વિસ્તાર ઔદ્યોગિક ઉત્ખનનને માટે સૌથી મહત્વની જગ્યાઓમાંની એક છે. ચીનને નજીકનાં ભવિષ્યમાં આ વિસ્તારમાં પોતાની વસ્તી વસાવવાનો ઇરાદો દર્શાવ્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો)નાં અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રમાનાં ભૌગોલિક વાતાવરણ, ખનીજો, તત્વો તેનાં વાયુમંડળનાં બહાર જમીન અને પાણીને વિશે સૂચના ભેગી કરશે.
બેંગલુરૂઃ સ્પષ્ટ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલ દુનિયા માટે ભારતનું ચંદ્રયાન-2 આશાનું એક નવું કિરણ સાબિત થઇ શકે છે. મિશન મૂન અંતર્ગત ચંદ્રનાં સાઉથ પોલ પર પગલું રાખવા જઇ રહેલ ચંદ્રયાન-2થી એક એવા અનમોલ ખજાનાની ખોજ થઇ શકે છે કે જેનાંથી ન તો માત્ર આગામી અંદાજે 500 વર્ષ સુધી માનવી ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય છે પરંતુ અનેક ટ્રિલ્યન ડૉલરની કમાણી પણ કરી શકાશે. 'ચંદા મામા'ને મળનારી આ ઉર્જા ન તો માત્ર સુરક્ષિત હશે પરંતુ તેલ, કોયલા અને પરમાણુ કચરાથી થનાર પ્રદૂષણથી મુક્ત થશે.
મિશન મૂનને પૂર્મ કરવા માટે ચંદ્રયાન-2 સોમવારનાં બપોરનાં 2:51 કલાકે ચંદ્રમા સાઉથ પોલને માટે રવાના થશે. ચંદ્રમાનો દક્ષિણ ધ્રુવ વિસ્તાર ઔદ્યોગિક ઉત્ખનનને માટે સૌથી મહત્વની જગ્યાઓમાંની એક છે. ચીનને નજીકનાં ભવિષ્યમાં આ વિસ્તારમાં પોતાની વસ્તી વસાવવાનો ઇરાદો દર્શાવ્યો છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઇસરો)નાં અનુસાર ચંદ્રયાન-2 ચંદ્રમાનાં ભૌગોલિક વાતાવરણ, ખનીજો, તત્વો તેનાં વાયુમંડળનાં બહાર જમીન અને પાણીને વિશે સૂચના ભેગી કરશે.
ઉર્જાની સાથે સાથે ખરબો ડૉલર પણ અપાવી શકે છે હિલિયમ-3:
તમને જણાવી દઇએ કે ભારત તે સ્થાન પર ચંદ્રયાન-2ને ઉતારવા ઇચ્છે કે જ્યાં પર અત્યાર સુધી કોઇ પણ દેશે લેન્ડ નથી કરેલ. હકીકતમાં, ભારતની નજર ચંદ્રમા પર મોટી માત્રામાં મેળવનાર એક અનમોલ ખજાના પર છે કે જેનું નામ હિલિયમ-3 છે. આ ખજાનાની ખોજ જ ભારતને ચંદ્રમાનાં દક્ષિણી ધ્રુવ પર લઇ જઇ રહેલ છે.
ક્યાં સુધી ચાલશે મિશન?
15 જુલાઈએ લોન્ચિંગ બાદ 6 સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. તે બાદ લેન્ડર અને રોવર 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. ઓર્બિટર 1 વર્ષ સુધી એક્ટિવ રેહશે અને ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરતું રહેશે.
આ રીતે થશે લેન્ડિંગઃ
લોન્ચ થયા બાદ ધરતીની કક્ષાથી નીકળીને ચંદ્રયાન-2 રોકેટથી અલગ થઈ જશે. રોકેટ અંતરિક્ષમાં નષ્ટ થઈ જશે અને ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. તે બાદ લેન્ડર ઓર્બિટરથી અલગ થઈ જશે. ઓર્બિટર ચંદ્રની કક્ષાનું ભ્રમણ શરૂ કરી દેશે. તે બાદ લેન્ડર ચંદ્રના દક્ષિણ ભાગ પર ઉતરશે. તેને લગભગ 15 મિનિટનો સમય લાગશે. ટેકનિકલી તે ખુબ મુશ્કેલ છે. લેન્ડિંગ બાદ લેન્ડરનો દરવાજો ખૂલશે અને તેમાંથી રોવર બહાર નીકળશે. રોવરને બહાર નીકળવામાં લગભગ 4 કલાક જેટલો સમય લાગશે. પછી તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર ફરશે. રોવર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદની 15 મિનિટમાં જ ઈસરોને તસવીરો મળવાની શરૂ થઈ જશે.
મિશનનો ઉદ્દેશઃ
ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર પાણીનું પ્રેસર અને માત્રા નક્કી કરવી
ચંદ્રનું હવામાન, ખનીજ અને તેની સાપટી પર રહેલાં રાસાયણિત તત્વોનું અધ્યયન કરવું
ચંદ્રની સપાટી પર માટીના તત્વોનો અભ્યાસ કરવો
હિલિયમ-3 ગેસની સંભાવના તપાસશે, જે ભવિષ્યમાં ઊર્જાનો મોટો સ્ત્રોત સાબિત થઈ શકે છે.