પાડોશી દેશ પાકિસ્તાન પોતાની કરતૂતો કરતું અટકતું નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દે રાગ આલાપવાનું છોડતું નથી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઇસ્લામિક દેશોના સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)એ કાશ્મીરને લઇને પ્રસ્તાવ પાસ કર્યો છે. જેને ભારતીય વિદેશ મંત્રાલયે ફગાવી દીધો છે.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન રજૂ કરવામાં આવ્યું છે કે, અમે 27-28 નવેમ્બરે નાઇઝીરિયાઈ નાઇઝરમાં 47માં CFM સત્રમાં ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)માં પાસ પ્રસ્તાવોને ભારતે ફગાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે હંમેશા એ નક્કી કર્યું છે કે ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)ની પાસે ભારત માટે આંતરિક મામલાઓમાં કોઇ લોકલ સ્ટેંડિંગ નથી, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પણ સામેલ છે જે ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કરતા કહ્યું કે, આ નિરાશાજનક છે કે OIC ખુદને એક દેશ દ્વારા ઉપયોગ કરવાની મંજૂરી આપી છે, જેનો ખુદ ધાર્મિક સહિષ્ણુતા, કટ્ટરપંથ અને અલ્પસંખ્યકોના ઉત્પીડન પર ખરાબ રેકૉર્ડ છે.
પાકિસ્તાનનો દાવો
પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ દાવો કર્યો હતો કે શનિવારે નાઇઝરની રાજધાનીમાં નીમીમાં OIC વિદેશમંત્રીઓની બેઠકમાં કાશ્મીરને લઇને એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને OICના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં કાશ્મીરને લઇને પસાર કરવામાં આવેલ ખોટા પ્રસ્તવાને પોતાની જીતનો કરાર આપ્યો હતો.
OICએ પ્રસ્તાવ ફગાવ્યો
જે પ્રસ્તાવને લઇને પાકિસ્તાનના વિદેશ મંત્રી ખુશીથી નાચી રહ્યા હતા, તે OICએ ફગાવી દીધો છે. જ્યારબાદ પાકિસ્તાનમાં જ નહીં પરંતુ કુરૈશીની સમગ્ર દુનિયામાં ખોટું બોલવાને લઇને હાંસી ઉડી.