પ્રથમ વખત ભારતની ત્રણેય સેનાની એક ટુકડી રશિયાની રાજધાની મોસ્કોના રેડ સ્ક્વેરથી કૂચ કરતી જોવા મળશે. 2015 માં ફક્ત ભારતીય સેનાએ સૈન્ય પરેડમાં ભાગ લીધો હતો. રશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રસંગ માટે આમંત્રણ આપ્યું હતુ.
આ વર્ષે નાઝીઓ પરની વિજયની 75 મી વર્ષગાંઠ છે
રશિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રસંગ માટે આમંત્રણ આપ્યું હતુ
જોકે વડાપ્રધાન કોરોના વાયરસના રોગચાળાને કારણે આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ ભારતની ત્રણેય સૈન્ય પોતાની તાકાત બતાવશે. આવી સ્થિતિમાં રશિયા સાથે મજબૂત સંબંધો ધરાવનારા ચીનની ચિંતા વધી શકે છે. રશિયા દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ પરેડનું આયોજન કરે છે. આ વર્ષે તે કોવિડ -19 ને કારણે મુલતવી રાખવામાં આવ્યુ હતુ.
આ 1945માં નાઝી જર્મનીના શરણાગતિની યાદમાં પરેડની ઉજવણી કરવામાં આવે છે. ગયા વર્ષે વ્લાદિવોસ્તોકમાં મળેલી બેઠક દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને આ વર્ષે આવવાનું આમંત્રણ આપ્યું હતુ. તેની ગેરહાજરીની ભરપાઈ કરવા માટે સરકાર પરેડમાં ભાગ લેવા માટે 19 જૂને જળ, ભૂમિ અને હવાઈ દળના 75-80 જવાનને મોસ્કો મોકલશે. જે પરેડમાં ભાગ લેશે.
રશિયાએ આ વર્ષના પરેડ માટે ઘણા દેશોના વડાઓને આમંત્રણ આપ્યું છે કારણ કે આ વર્ષે નાઝીઓ પરની વિજયની 75 મી વર્ષગાંઠ છે. કુટનીતિક સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય દળ પરેડમાં ગ્રેટ પૈટ્રિઓટિક વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કરાવતું પ્રદર્શન કરશે. હાલમાં પરેડની વિગતો પર કામ ચાલુ છે.
ચીનના રશિયા સાથે ઉંમદા લશ્કરી અને રાજકીય સંબંધો છે. જ્યારે સરહદ વિવાદને લઈને હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવ સર્જાયો છે. તે જ સમયે ભારતના અમેરિકા સાથે ખૂબ સારા સંબંધો છે. ત્યારે ચીન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલું છે. આ બધા સમીકરણો હોવા છતાં ભારત અને રશિયા એક બીજાને મહત્વપૂર્ણ સાથી તરીકે જુએ છે. રશિયા સાથે સંરક્ષણ સહયોગને સતત વધારવાની પ્રતિબદ્ધતા ઉપરાંત લશ્કરી સાધનોના સંયુક્ત વિકાસ માટેના કરારો થયા છે.