સમગ્ર દુનિયામાં કહેર વર્તાવનાર કોરોના વાયરસ માટે વધારે ભયાવહ બની ગયો છે. લંડનમાં શુક્રવારે નવો સંખ્યાકિય વિશ્લેષણ જારી થયું છે. જે મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેનારા લોકો ભારતીયોની કોરોનાથી મોત થવાની શક્યતા શ્વેતોની સરખામણીએ 50થી 57 ટકા વધારે છે. ભારતીય પુરુષો અને મહિલા બન્નેમાં કોરોનાનું સંકટ વધારે હોવાનું મનાઈ રહ્યું છે.
એક નસ્લીય ભિન્નતાને લઈને તારણ કાઢ્યું હતુ
કોરોનાથી મોતનું સંકટ અશ્વેત લોકોમાં વધારે
ભારતમાં મોત માટે કોઈ બિમારી કરતા રહેણી કહેણી અને જોબ્સ જવાબદાર
ધ ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિક્સ (ONS)આ વર્ષની શરુઆતમાં કોરોના વાયરસની અસરને લઈને એક નસ્લીય ભિન્નતાને લઈને તારણ કાઢ્યું હતુ. આ સપ્તાહમાં પોતાના આંકડાને અપડેટ કરતા ONSએ જણાવ્યું કે આ અસમાનતા પાછળ ચાલી રહેલી કોઈ બિમારી કરતા રહેણી કહેણી અને જોબ્સ જવાબદાર છે.
ONSની રિપોર્ટમાં જણાવ્યાનુંસાર 28 જુલાઈ સુધી થયેલા મોતને જોતા અશ્વેત અને સાઉથ એશિયાના લોકોમાં કોરોનાથી મોતનું સંકટ શ્વેત લોકો કરતા વધારે છે. આ પહેલા મેમાં થયેલા મોતનું નસ્લીય અંતર ડેમોગ્રાફિક, સામાજિક અને આર્થિક કારકોની સાથે મજબૂતી સાથે જોડાયેલું છે.
ONSના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પુરુષો કરતા બાંગ્લાદેશના પુરુષોમાં કોરોનાથી મોતનો ખતરો વધારે છે. આમાં બ્લેક આફ્રિકન, બ્લેક કૈરેબિયન, બાંગ્લાદેશી અનેપાકિસ્તાનીનો સમાવેશ કરાયો છે. રિપોર્ટ મુજબ જેમાં ડાયબિટીઝ, રેસ્પિરેટરી ફેલિયર અથવા હાર્ટ ફેલિયર જેવા પ્રી એગ્જિસ્ટિંગ હેલ્થ કન્ડીશનના આધાર પર વિભિન્ન સમુદાયોમાં કોરોનાના ડેથ રેટને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ મોતએ વાત પર આધારિત છે કે તમે કયા પ્રોફેશનમાં છો.