ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે IMA દ્વારા પીએમ મોદીને પત્ર લખવામાં અવાયો છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર બની ઘાતક
18 વર્ષથી ઉપરના બધાને વેક્સિન આપવામાં આવે : IMA
IMAએ પીએમ મોદીને લખ્યો પત્ર
PM મોદીને લખ્યો પત્ર
દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસીકરણમાં તેજી લાવવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ પ્રસાર રોકવા માટે વધારેને વધારે વેક્સિનના ડોઝ આપવાં આવે અને રસીકરણ પ્રોગ્રામમાં તેજી લાવવામાં આવે.
Indian Medical Association writes to Prime Minister Narendra Modi suggests "gearing up of COVID19 vaccination drive with immediate effect and permit those above 18 years to receive vaccine". pic.twitter.com/1mMpfC5e4y
એસોસિયેશને પીએમ મોદીને લખેલા પત્રમાં અપીલ કરવામાં આવી છે કે 18 વર્ષથી વધારે વયના બધા જ લોકોને રસીકરણમાં સામેલ કરવામાં આવે. IMAએ કહ્યું છે કે કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે અને અને રવિવારે તો એક લાખથી વધારે કેસ સામે આવિયા ગયા છે, જે અત્યાર સુધીના સૌથી વધારે છે.
શું સરકાર લેશે નિર્ણય?
એસોસિયેશને કહ્યું કે અત્યારે આપણે 45થી વધારે ઉંમરના લોકોને વેક્સિન આપી રહ્યા છે પરંતુ કોરોના વાયરસની લહેરને રોકવા માટે રસીકરણમાં તેજી લાવવી ખૂબ જ જરૂરી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સરકારને સલાહ આપવામાં આવે છે કે 18થી વધારે ઉંમરના બધાને વેક્સિન આપવામાં આવે જેથી કોરોના વાયરસ મહામારી સામે લડવાની ઇમ્યુનિટી ડેવલપ કરી શકાય.
ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં એક લાખની આસપાસ કોરોના કેસ સામે આવી રહ્યા છે અને વિવિધ રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂથી લઈને શાળાઓ બંધ કરી દેવા જેવા જુદા જુદા પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં 446 દર્દીઓના મોત થયા છે જ્યારે 50,143 સાજા પણ થયા છે.