IMAએ કોરોના હેલ્પલાઈનની લોન્ચ કરી. જ્યાં 250 ડોક્ટરોનો સ્ટાફ કોરોનાને લઈને 24 કલાક સુધી લોકોને તમામ મદદ કરશે.
IMA એ 95975757454 નંબરથી હેલ્પલાઈન ચાલુ કરી
અહીં તમામ શંકાઓનું સમાધાન કરતા લોકોને સલાહ આપવામાં આવશે
250 ડોક્ટરો 24 કલાક સુધી લોકોને તમામ મદદ કરશે
દેશમાં કોરોનાના વધતા કેસને જોતા ઈન્ડિયન મેડિકલ અસોસિયેશન(IMA)એ એક સારી પહેલ કરી છે. દેશભરમાં ફેલાયેલા ડોક્ટરોના આ સંગઠને કોરોના હેલ્પલાઈનની લોન્ચ કરી છે અને તે દર્દીઓને 24 કલાક સુધી મદદ કરશે. ખાસ વાત એ છે કે આ હેલ્પલાઈનને ચલાવવા માટે 250 ડોક્ટરોનો સ્ટાફ કોરોનાને લઈને તમામ મદદ ઉપલબ્ધ કરાવશે.
IMA એ 95975757454 નંબરથી હેલ્પલાઈન ચાલુ કરી
IMAના અધ્યક્ષ ડો. જે એ જયલાલે જણાવ્યું કે IMA એ 95975757454 નંબરથી હેલ્પલાઈન ચાલુ કરી છે. દેશભરના લોકો આના પર ફોન કરીને કોવિડ મહામારી સાથે જોડાયેલી કોઈ પણ માહિતી મેળવી શકે છે. આ હેલ્પલાઈનમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકોને દરેક શક્ય મદદ કરી શકાય.
અહીં તમામ શંકાઓનું સમાધાન કરતા લોકોને સલાહ આપવામાં આવશે
આ હેલ્પલાઈનના માધ્યમથી હોસ્પિટલોમાં કોરોના બેડથી લઈને વેન્ટીલેટર અને આઈસીયૂ બેડની સુવિધા, સેલ્ફ અથવા હોમ ક્વોરેન્ટાઈનના સમયમાં વર્તવાની સાવધાનિયો, કોરોનાથી ઘરે રહીને સારવાર, રસીને લઈને જાગૃતતા, નાના ઘરમાં કોરોનાના દર્દી અને પરિવારના બાકી સભ્યોની વચ્ચે વર્તવામાં આવનારા સાવધાનિઓ, લોકોની તમામ શંકાઓનું સમાધાન કરતા લોકોને સલાહ આપવામાં આવશે.
દેશમાં કોરોના બહું તેજીથી ફેલાઈ રહ્યો છે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં ગુરુવારે રાત સુધીમાં કોરોના વાયરસના એક દિવસમાં 216, 850 નવા કેસ સામે આવ્યા છે અને આ જ દરમિયાન 1183 લોકોના મોત થયા છે. આ મહામારીની શરુઆતની પહેલી લહેરને બીજી લહેર પાછળ છોડી દીધી છે. અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14, 28, 7740 થઈ ગઈ છે. કોરોનાથી પીડિત લોકોમાં સાજા થનારાનો દર હજુ વધારે ઘટીને 89.51 ટકા થઈ ગયો છે.કોરોનાથી થનારા મોતનાં આંકડામાં ઉછાળો નોંધાયો છે. કુલ મોતનો આંક 17, 4335 થઈ ગયો છે. સારવાર લેનારાની સંખ્યા વધીને 1563588 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 12543978 કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે સતત 36માં દિવસે કોરોનાના મામલામાં દેશમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, યુપી, તમિલનાડુ અને કર્ણાટકની સ્થિતિ ઘણી જટિલ થઈ છે. અહીં સતત મામલા વધી રહ્યા છે.