આજે તમને એવી અજીબોગરીબ સ્ટોરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે આજ સુધી ક્યારેય સાંભળી નહિ હોય. આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. સોશિયલ મીડિયા પર વાયરલ ખબર પ્રમાણે એક વ્યક્તિએ ગરમીથી હેરાન થઈ સુર્ય દેવતા પર કેસ કર્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ખબર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાની જણાય છે. અહિ એક યુવકે ગરમીથી હેરાન થઈ સુર્ય દેવતા પર કેસ ઠોક્યો છે. જે કોઈએ પણ આ ઘટના વિશે સાંભળ્યુ છે તે આવુ જ કહેતો આવે છે કે આ તો એક ફિલ્મી સીનની જેમ થઈ ગયુ છે. ઘણા લોકોએ તો આ ઘટનાની બરાબરી પરેશ રાવલની ફિલ્મ 'omg' સાથે કરી છે.
જો તમને યાદ હોય તો પરેશ રાવલે આ ફિલ્મમાં ભગવાન પર કેસ કર્યો હતો. ઠીક એવી રીતે મધ્યપ્રદેશના શાજાપુરના રહેનારા આ
વ્યક્તિએ બેહાલ કરનારી આ ગરમીના માટે સૂરજ દેવતાને દોષિત ઠેરવ્યા છે અને તેમના પર કેસ દાખલ કર્યો છે. વ્યક્તિનું નામ શિવપાલ સિંહ કહેવામાં આવી રહ્યુ છે. શિવપાલે શાજાપુર સ્ટેશનમાં પોતાની ફરિયાદ દાખલ કરાવી છે.
ભગવાન વિરૂદ્ધ પોતાની ફરિયાદમાં શિવપાલ સિંહે લખ્યુ છે કે હું એક સપ્તાહથી આકાશમાંથી વરસી રહેલી આગને કારણે માનસિક
અને શારીરિક રૂપથી કષ્ટ ભોગવી રહ્યો છુ. આ ગરમીથી મને માનસિક શારીરિક બંન્ને પ્રકારે પીડા થઈ રહી છે જેના માટે હું શ્રીમાન
સૂર્યનારાયણ નિવાસી બ્રહ્માંડને દોષિત માનું છું. શિવપાલ સિંહ ઈચ્છે છે કે તેમની આ ફરિયાદ પર એક્શન લઈ ભારતીય સંવિઘાનના અનુસાર આવશ્યક કાયદાકીય ધારાઓમાં કાર્યવાહી કરવામાં આવે.