મેરીટાઇમ પાયરેસીને રોકવા માટે સંયુક્ત રાષ્ટે 1982ની સંધિ થકી એક મોટી પહેલ કરી હતી. ભારતે તેને 1995માં મંજૂરી આપી હતી પરંતુ મેરીટાઇમ પાયરેસીને ઘરેલૂ કાનૂન બનવામાં ઘણો સમય લાગી ગયો. ખુલ્લા સમુદ્રમાં પાયરેસીની સામે કાર્યવાહી કરવા માટે ભારતની પાસે પણ હવે કાયદો આવી ગયો છે.
સમુદ્રી ડાકુઓનાં કારણે ભારત પણ વર્ષોથી ચિંતામાં છે. ખુલ્લા સમુદ્રમાં થઇ રહેલા અપરાધ અને સમુદ્રી લુટેરાઓની સામે લડવા માટે ભારતમાં કોઇ અલગ કાયદો હતો નહીં. આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર કે ખુલ્લા સમુદ્રમાં પાયરેસીની સામે કાર્યવાહી કરવા માટે ભારતની પાસે પણ હવે કાયદો આવી ગયો છે.
સંસદમાં બંને સદનોથી મળી મંજૂરી
મેરીટાઇમ એન્ટી પાયરેસી બિલને સંસદનાં બંને સદનોમાંથી મંજૂરી મળી ગઇ છે. લોકસભાથી મેરીટાઇમ એન્ટી પાયરેસી બિલ 2019, આ વર્ષે 19 ડિસેમ્બરનાં મંજૂર થયું છે. રાજ્યસભાથી તેને 21 ડિસેમ્બરનાં રોજ મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં આવવાથી આ બિલનું નામ એન્ટી મેરીટાઇમ પાયરેસી બિલ 2022 થઇ ગયું છે. બિલ પર રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષર થયાની સાથે જ તે કાયદાનું રૂપ ધારણ કરશે.
Rajya Sabha takes up Maritime Anti-Piracy Bill for consideration
સદનમાં વિદેશમંત્રાલયે બિલને લગતી માહિતી આપી
વિદેશમંત્રી એસ જયશંકરે બંને સદનોમાં વિધેયક પર ચર્ચાનો જવાબ આપતાં કહ્યું કે આઇપીસી અને સીઆરપીસીમાં સમુદ્ર ક્ષેત્રમાં લુટેરાઓથી થઇ રહેલી સમસ્યાઓનો સામનો કરવા માટે પહેલા કોઇ પ્રાવધાન નહોતુ. તેથી સરકાર આ બિલને લઇને આવી છે.
મેરીટાઇમ એન્ટી પાયરેસી કાયદો:
મેરીટાઇમ એન્ટી પાયરેસી કાયદો સમુદ્રી ડાકુઓ કે પાયરેસીને રોકવા અથવા પાયરેસી અપરાધ કરનારાની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પ્રાવધાન કરે છે.
ભારતનો આ કાયદો આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર પર લાગૂ થશે. તેમાં એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન EEZની સાથે કોઇ અન્ય દેશનાં ક્ષેત્રાધિકાર સિવાયની તમામ જળસીમા શામેલ છે.
સમુદ્રી લૂટ એ અપરાધમાં શામેલ થશે જેના માટે કડક સજાનું પ્રાવધાન કરાયું છે. આ માટે ઉંમરકેજ અને દંડ ભરવા જેવી સજાઓ છે. જો પાયરેસીને કારણે હત્યા કે મોત થાય છે તો તેવા મામલાઓમાં ઉંમર કેદ કે ફાંસી જેવી સજા પણ થઇ શકે છે.
પાયરેસીનાં પ્રયાસો કરવા કે તેમાં મદદ કરવા માટે પણ 10 વર્ષની સજા કે દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.
સમુદ્ર લૂંટનાં અપરાધમાં જોડાવા, તેની યોજના બનાવવા કે બીજાને તે કરવા માટે ઉશ્કેરવા પર 14 વર્ષની સજા કે દંડ અથવા બંને થઇ શકે છે.
આ કાયદો શા માટે જરૂરી?
ભારત પાસે એન્ટી મેરીટાઇમ પાયરેસીનાં મામલામાં કાર્યવાહી કરવા માટે કોઇ ઘરેલૂ કાયદો નહોતો. હજી સુધી પાયરેસી પર કેસ ચલાવવા માટે IPCનાં લૂંટ સંબંધી પ્રાવધાનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે કેટલાક મામલામાં આરોપી આ આધાર પર મુક્ત થાઇ જાય છે કારણકે કેસ ભારતનાં ન્યાયક્ષેત્રમાં આવતું નથી. પરંતુ હવે આ મુદે 2019માં કરવામાં આવેલી માંગ 2021માં મંજૂર થઇ છે. રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કર્યા બાદ આ બિલ કાયદો બની જશે.