કુલભૂષણ જાધવ મામલે ભારતને સફળતા મળી છે. પાકિસ્તાનની સંસદમાં જાધવને અપીલનો અધિકાર આપતો અધ્યાદેશ રજૂ કરવામાં આવ્યો છે. આ અધ્યાદેશને પગલે જાધવ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકશે. વિપક્ષના વિરોધ વચ્ચે પાકિસ્તાની સંસદમાં અધ્યાદેશ રજૂ થયો
પાકિસ્તાનની સંસદમાં જાધવને અપીલનો અધિકાર આપતો અધ્યાદેશ રજૂ
આ અધ્યાદેશને પગલે જાધવ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકશે
સૈન્ય કોર્ટના ચુકાદા વિરુદ્ધ જાધવ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકશે
વિપક્ષના વિરોધ વચ્ચે પાકિસ્તાની સંસદમાં અધ્યાદેશ રજૂ થયો
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય અદાલતોના નિર્ણયને ધ્યાનમાં રાખી પાક. સરકારે સોમવારે સંસદમાં એક અધ્યાદેશ પસાર કર્યો છે. જોકે વિરક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે. આ અધ્યાદેશને પગલે જાધવ સૈન્ય કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય અદાલતની સમીક્ષા તથા પુનવિચાર અધ્યાદેશ 2020 હેઠળ તે સૈન્ય કોર્ટના ચુકાદા વિરુદ્ધ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરી શકશે. જે તેને 60 દિવસની અંદર કરવાની રહેશે. આ અધ્યાદેશ 20મેના રોજ અધિનિયમિત કરવામાં આવ્યો હતો.
2017માં જાધવને મોતની સજા પાક કોર્ટે સંભળાવી છે
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદનો આરોપ લગાવતા પાક.ની સૈન્ય કોર્ટે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી ચૂક્યાં હતાં. ભારતે આ નિર્ણયની સાથે સાથે આઇસીજેની પાસે ગયો હતો. ICJએ જાધવની સજા પર પ્રતિબંધ લગાવી દીધો હતો