મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો ખતરો હજી સુધી ઓછો થયો નથી. જેના કારણે લોકડાઉન લગાવવું પડ્યું હતું. જેની અસર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી.
તમને જણાવી દઈએ કે ઘણાં શોની શૂટિંગ રોકી દેવામાં આવી છે અને કેટલાક શો તો બંધ થવાના આરે છે. તો ઘણાં લોકેશન ચેન્જ કરીને શૂટિંગ કરવા પર મજબૂર છે. જેમાં ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 12 પણ આ તેમાં સામેલ છે.
લોકડાઉનને કારણે ઈન્ડિયન આઇડોલ 12ના મેકર્સે દમણમાં આખી ટીમ સાથે શૂટિંગ કર્યું. આ માટે આખી ટીમને મુંબઈથી દમણ શિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં દમણમાં શોના મેકર્સે એક મહિનાના સંપૂર્ણ બેકઅપ તરીકે એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. શૂટિંગ પૂર્ણ થયા બાદ ટીમ મુંબઈ પરત ફરી છે. અગાઉથી શૂટિંગ પૂર્ણ થવાને કારણે શોના નિર્માતાઓએ આખી ટીમને બ્રેક આપી દીધી છે. હવે આ શોનું શૂટિંગ મુંબઈમાં શૂટિંગ શરૂ થયા પછી જ શરૂ થશે.
આદિત્ય નારાયણે માહિતી શેર કરી
આ જાણકારી ઇન્ડિયન આઇડલના 12 હોસ્ટ આદિત્ય નારાયણ દ્વારા આપવામાં આવી છે, જે છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં છે. ઇ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે 'દમણમાં અમારી ટીમ 4 દિવસમાં કુલ 8 એપિસોડ શૂટ કરતી હતી. અમારી પાસે એક મહિના સુધીનું કન્ટેન્ટ છે. અમે મહારાષ્ટ્ર સરકાર અનલોક કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. મને લાગે છે કે મુંબઈમાં રહેવું ઠીક છે. '
તમને જણાવી દઈએ કે હાલમાં ઈન્ડિયન આઈડલ12 માં 9 સિંગર બાકી છે. જેમાં પવનદીપ રાજન, અરૂણિતા કાંજીલાલ, સવાઈ ભાટ, આશિષ કુલકર્ણી, મોહમ્મદ ડાનિશ, સયાલી કાંબલે, નિહાલ તારો, સન્મુખ પ્રિયા અને અંજલિ ગાયકવાડનો સમાવેશ થાય છે. શોમાં પાવર પ્લે નિયમ હાલમાં ચાલી રહ્યો છે. આને કારણે છેલ્લા ઘણાં અઠવાડિયાથી કોઈ સ્પર્ધકને શોમાંથી એલિમિનેટ થયો નથી.