કોરોનાની રસી શોધતા વૈજ્ઞાનીકો હવે દાદીમાના વૈદ્યુ તરીકે ઓળખાતી દેશી જડીબુટ્ટી ઓ તરફ મીટ માંડી છે. ભારતીય જડીબુટ્ટીઓએ વિશ્વનુ ધ્યાન હાલ કોરોનાની મહામારીમાં અક્સીર ઈલાજ તરીકે પોતાની તરફ ખેંચ્યુ છે. ભારત માટે આ ગૌરવ લેવા જેવી બાબત છે. એમાંય Gujarat Biotechnology Research Centre (GBRC) આમાં મહત્વનો રોલ ભજવી રહ્યુ છે.
ગુજરાત આર્યુવેદિક યુનિવર્સિટીનો ફાળો
લોકો આર્યુવેદિક દવાઓ તરફ વળ્યા
કઈ કઈ ઔષદ્યિ જડીબુટ્ટીઓ છે લિસ્ટમાં
હરડે, લીમડો, ગળો અથવા કળુકળિયાતું જેવી અનેક જડીબુટ્ટીઓ છે કોરોનાની દવા અને રસી શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકોના લિસ્ટમાં છે તેમનું કહેવું છે કે આ ઔષદ્યિય વનસ્પતિ કોરોનાની રસી શોધવામાં કામ લાગી શકે તેમ છે.
Gujarat Biotechnology Research Centre (GBRC)ના અધિકારીઓએ કહ્યું કોમ્પ્યુટર વિશ્લેષણમાં જોવા મળ્યું કે એવી ઘણી જડીબુટ્ટી છે જે કોરોના વાયરસના પ્રોટિનને બાંધીને તેના સંખ્યા વધારવા, શરીરના કોષમાં અટેચ થવું અને ચેપ લગાવવા જેવી બાબતોને અટકાવે છે. જોકે આ થિયરીને પ્રમાણભૂત કરવાનું હજુ બાકી છે. આ અંગેનો ડેટા આર્યુવેદિક ડોક્ટરો અને તજજ્ઞોને મોકલી આપવામાં આવ્યો છે.
ગુજરાત આર્યુવેદિક યુનિવર્સિટીનો ફાળો
ગુજરાત રાજ્ય બાયોટેક્નોલોજી મિશન દ્વારા તાજેતરમાં જ વૈકલ્પિક દવાઓ અને બાયોટેક્નોલોજી વિષય પર વેબિનાર રાખવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટી, એમ. એસ. યુનિવર્સિટી-બરોડા, અખંડાનંદા આયુર્વેદિક કોલેજ, સાઉત ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
લોકો આર્યુવેદિક દવાઓ તરફ વળ્યા
ગુજરાત યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના પ્રોફેસરે કહ્યું કે હવે પરંપરાગત દવાઓમાં લોકોને વધુ આશા જાગી રહી છે. આર્યુવેદિક દવાઓ શરીને કોઈ હાની ન પહોંચાડતી હોવાથી લોકો આર્યુવેદિક દવાઓ તરફ વળ્યા છે. અમે હાલ જડીબુટ્ટીઓની મદદથી કોરોના દર્દીઓના શરીરમાં વ્હાઇટ બ્લડ સેલ્સના ઉત્પાદન અને બાયો ઇન્ડિકેટર જેવા કે CRP કાઉન્ટ દ્વારા દર્દીની રીકવરી અંગે અભ્યાસ કરી રહ્યા છીએ.
વડોદરાનો બોટની વિભાગ પણ કાર્યરત
એમ.એસ. યુનિવર્સિટી બરોડાના બોટની વિભાગના પ્રોફેસર વેબિનાર દરમિયાન કહ્યું તેના પ્રારંભિક કાર્યમાં લિકોરિસની અસરકારક્તાને દર્શાવે છે. જે લોકો હાઈપોકેલેમિયાના અસરગ્રસ્ત છે તેમનામાં પોટેશિયમની ઉણપ હોય છે. લિકોરિસ તેમાં મદદ કરી શકે છે. લિકોરિસની બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે તે સંક્રમણની સામે લડી શકે છે.