દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પર પ્રેસ કોન્ફ્રેન્સ કરવામાં આવી હતી જેમાં સરકારે મોટી આશંકા વ્યક્ત કરી છે.
ભારતીયોને બેદકારી પડશે ભારે ! હવે મળશે પરિણામ
કેન્દ્ર સરકારે આવનાર દિવસોમાં તહેવાર અને ચૂંટણીની અસર દેખાશે તેવી આશંકા દર્શાવી
દિલ્હીમાં કોરોના વાયરસના ટેસ્ટ ડબલ કરશે સરકાર
દેશમાં હાલમાં જ દિવાળીનો તહેવાર આનંદ અને ઉલ્લાસથી સંપન્ન થયો છે. બીજી તરફ બિહારમાં વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહીતના અનેક રાજ્યમાં પેટાચૂંટણી સંપન્ન થઇ છે. જોકે આ દરમિયાન ઘણા બધા લોકો બેદરકારી દાખવતા દેખાયા હતા અને સોશ્યલ ડીસ્ટન્સનું પણ ભંગ કર્યું હતું, હવે સરકારે આશંકા વ્યક્ત કરી છે કે આવનાર સપ્તાહમાં તેની અસર જોવા મળી શકે છે.
દેશના પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસના કારણે સતત કેસમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે કેન્દ્ર સરકારે કહ્યું કે હવે દરરોજ એક લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવશે. મંત્રાલયે લોકોને પણ અપીલ કરી કે કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવવામાં આવે. નોંધનીય છે કે મંત્રાલયને આશંકા છે કે આવનાર દિવસોમાં તહેવારો અને ચૂંટણીની અસર જોવા મળશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ચૂંટણી, દુર્ગા પૂજા, દિવાળી દરમિયાન લોકોએ જે વ્યવહાર કર્યા છે તેના પરિણામ આવનાર દિવસોમાં જોવા મળી શકે છે. અમે નવા કેસ પર નજર રાખી રહ્યા છે. આ સિવાય સરકારે આશંકા વ્યક્ત કરી કે ચૂંટણી અને તહેવારોમાં લોકોએ જે બેદરકારી દર્શાવી તેના કારણે સંક્રમણ તેજીથી ફેલાઈ શકે છે અને આવનાર સપ્તાહોમાં તેની અસર જોવા મળશે.
નોંધનીય છે કે વર્તમાનમાં દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અને અમુક જગ્યાઓ પર ફરીથી લોકડાઉન લાગી જવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે સરકાર હવે વધારે ટેસ્ટની રણનીતિ પર કામ કરી રહી છે. સરકારે જણાવ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના ટેસ્ટની સંખ્યાને વધારવામાં આવશે.