આર્થિક મંદીની વચ્ચે ભારતને વર્લ્ડ બેંકથી બીજો એક ઝટકો મળ્યો છે. વર્લ્ડ બેંકે હવે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડી દીધું છે. વર્લ્ડ બેંકે ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને 6 ટકા કરી દીધો છે.
સતત બીજા વર્ષે ભારતના વિકાસ દરને વર્લ્ડ બેંકે ઘટાડ્યો
વર્લ્ડ બેંકે ભારતના ગ્રોથ રેટ ઘટાડીને 6 ટકા કરી દીધો
મૂડીઝે પણ ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડ્યો
વર્ષ 2018 19માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા રહ્યો હતો. જો કે સાઉથ એશિયા ઇકોનૉમિક ફોકસના લેટેસ્ટ એડિશનમાં વર્લ્ડ બેંકે પણ એવું કહ્યું કે વર્ષ 2021માં ભારત ગ્રોથ રેટને 6.9 ટકા ફરીથી રિકવર કરી શકે છે.
સતત બે વર્ષથી પછડાઇ રહ્યું છે ભારત
વર્લ્ડ બેંકે કહ્યું છે કે સતત બીજા વર્ષે ભારતના આર્થિક વિકાસ દરની ઝડપ ઘટી છે. 2017 18માં આ 7.2 ટકા હતો. જે 2018 19માં ઘટીને 6.8 ટકા થઇ ગયો. જો કે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ વધવાથી ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ગ્રોથ વધીને 6.9 ટકા થઇ ગયો જ્યારે એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટરમાં ગ્રોથ 2.9 ટકા અને 7.5 ટકા સુધી રહી ગયો.
મૂડીએ ઘટાડ્યું GDPનું અનુમાન
આ પહેલા ક્રેડિટ રેટિંગ એન્જસી મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથ અનુમાનને એક વખત ફરીથી ઘટાડી દીધો. મૂડીઝનું અનુમાન છે કે નાણાંકીય વર્ષ 2019 20 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.8 ટકા રહી શકે છે. આ પહેલા મૂડીઝનો જીડીપી ગ્રોથ અનુમાન 6.2 ટકા હતો. એ હેઠળ મૂડીઝે જીડીપી ગ્રોથ અનુમાનમાં 0.4 ટકાનો ઘટાડો કર્યો છે.
આ સાથે જ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થાને લઇને ગંભીર ચેતવણી પણ આપી છે. મૂડીઝે કહ્યું છે કે જો અર્થવ્યવસ્થામાં સુસ્તી જારી રહે છે તો સરકારની રાજકોષીય ખાધ ઓછા કરવાના પ્રયત્નને ઝટકો લાગશે. આ સાથે જ લોનનો બોજ પણ વધતો જશે.
RBIએ આપ્યો ઝટકો
મૂડીઝની જેમ દેશની કેન્દ્રીય બેંક આરબીઆઇએ પણ ચાલુ નાણાંકીય વર્ષ માટે ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઇના અનુમાનના પ્રમાણે આ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 6.1 ટકાના દરથી થઇ શકે છે. આ પહેલા આરબીઆઇએ 6.9 ટકાના દદરથી જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું હતું. એટલે કે થોડાક મહિનામાં જ આરબીઆઇએ જીડીપી ગ્રોથના અનુમાનિત આંકડામાં 0.8 ટકાનો ઘટાડો કરી દીધો છે.
ભારતને થશે એનું વધારે નુકસાન
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના ચીફ ક્રિસ્ટાલિના જૉર્જિએવાએ આર્થિક સુસ્તિને લઇને ચેતવણી જારી કરી છે. એમને કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આર્થિક સુસ્તી જોવા મળી રહી છે, જેના કારણે 90 ટકા દેશોનો વિકાસની ઝડપ ધીમી રહેશે. ઝડપથી ઊભરતી અર્થવ્યવસ્થાના કારણે ભારતમાં સૌથી વધારે એની અસર જોવા મળશે.
નોંધનીય છે કે ભારત સરકારના આંકડાના હિસાબથી જૂનમાં ખતમ થયેલ ત્રિમાસીક જીડીપી વિકાસ દર 5 ટકા નોંધવામાં આવ્યો. આ માર્ચ 2013 બાદથી ન્યૂનતમ છે. એ સમય જીડીપી વૃદ્ધિ દર 4.7 ટકા પર પહોંચી ગઇ હતી.