UKમાં કોરોનાની વણસેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન પરિવહન મંત્રાલયે આગામી 31 ડિસેમ્બર સુધીની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે. આ નિર્ણયના સંજોગોમાં જે મુસાફરો યુ.કેથી ટ્રાન્ઝિટ ફ્લાઈટ દ્વારા 22 ડિસેમ્બર મધરાત પહેલાં ભારત આવી રહ્યાં છે તેમનો ઍરપોર્ટ પર RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે.
કોરોના સંકટ વચ્ચે મોટો નિર્ણય
બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ પર લાદવામાં આવ્યો પ્રતિબંધ
31 ડિસે. સુધી મૂક્યો પ્રતિબંધ
ટ્વીટ કરીને આપાઇ જાણકારી
ભારત સરકાર દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે બ્રિટનની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બ્રિટનથી ભારત સુધીની તમામ ફ્લાઇટ્સ 31 ડિસેમ્બર 2020 સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો અમલ 22 ડિસેમ્બરની મધ્યરાત્રિથી થશે. આ પહેલા આવતા લોકો માટે આરટી-પીસીઆર પરીક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
Considering the prevailing situation in the UK, Indian govt has decided that all flights originating from the UK to India shall be temporarily suspended till 11:59 pm, 31st December. This suspension to start w.e.f. 11.59 pm, 22nd December: Ministry of Civil Aviation pic.twitter.com/ruSRpspbak
આ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવવાની માંગ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરી હતી. કેજરીવાલે આજે ટવીટ કરીને લખ્યું છે કે યુનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેનથી હલચલ જોવા મળી છે અને તે સુપર સ્પ્રેડરની જેમ વર્તે છે. આવી સ્થિતિમાં ભારત સરકારે યુકેની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
અમદાવાદના ડૉક્ટર્સે પણ સરકારને ચેતવી હતી
અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટર મોના દેસાઈએ ચેવણીના સ્વરે કહ્યું હતુ કે, ભારતમાં સમયસર પગલાં લેવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરવી જોઇએ. ડો.મોના દેસાઇએ વધુમાં જણાવ્યું હતુ કે, બ્રિટેનનો કોરોના સ્ટ્રેઇન અહીં પણ પગપેસારો કરી શકે છે. હજુ સુધી કોરોના સ્ટ્રેઇનના લક્ષણો સામે આવ્યા નથી જ્યારે હાલ આપણે વેક્સિન આપવાના ચરણમાં છીએ ત્યારે આ રીસ્ક લેવું ખોટું છે કારણ કે નવો કોરોના સ્ટ્રેઇન પર વેક્સિનની અસર કરે છે કે નહી તે પણ મોટો સવાલ છે.
નવા સ્ટ્રેનથી નવી ચિંતા
કોરોના વાયરસના કારણે વિશ્વમાં જ્યાં વેક્સિન આવવાના અહેવાલોથી થોડી રાહત મળવાના સંકેત મળ્યા છે ત્યારે બ્રિટનમાં કોરોના વાયરસનાં નવા સ્વરૂપના કારણે દુનિયાભરમાં ચિંતામાં વધારો થયો છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળી આવ્યો છે અને આ સ્ટ્રેન પહેલાનાં સ્ટ્રેન કરતા વધારે સુપરસ્પ્રેડર હોવાનું માનવામાં આવે છે. આશરે 30 જેટલાં દેશોએ યુકેથી આવતા ઉડાનો પર હવે રોક લગાવી દીધી છે જે બાદ ભારત પર પણ આ નિર્ણય લેવા માટે દબાણ વધી રહ્યું હતું.
કેટલાય દેશોએ લગાવી દીધો છે પ્રતિબંધ
ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, આયરલેન્ડ જેવા દેશોએ રવિવારે જ આ મુદ્દે મોટો નિર્ણય લઇ લીધો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભારતમાં ફ્લાઈટ્સ બેન કરી દેવા માંગ કરી છે. નોંધનીય છે કે સાઉદી અરબમાં પણ એક સપ્તાહ માટે યુકેની ફ્લાઈટ્સ પર રોક છે, ગૃહમંત્રીએ કહ્યું કે જ્યાં સુધી કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશે સંપૂર્ણ જાણકારી મળી ન જાય ત્યાં સુધી ફ્લાઈટ્સ પર રોક રહેશે.
કોરોનાની નવી તાણ શું છે
બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેઇન VUI-202012/01 મળી આવ્યું છે, જેના પછી વિજ્ઞાન જગતમાં હલચલ તીવ્ર થઈ રહી છે. બ્રિટને પણ અહીં તેની સખતાઇ વધારી દીધી છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યુરોપના ઘણા દેશોએ યુકેની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાના આ નવા સ્ટ્રેન પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.