ઓગસ્ટથી જ ભારત સરકાર અને WhatsApp વચ્ચે ફેક ન્યૂઝને લઇને મતભેદ ચાલી રહ્યા છે ભારત સરકારે WhatsAppથી મેસેજિસ ટ્રેક કરવાની મંજૂરી આપવા માટે કહ્યુ હતુ. પરંતુ WhatsAppએ ગુપ્તતાનો હવાલો આપતા એવું કરવાનો ઇન્કાર કરી દીધો.
WhatsAppના ઇનકાર બાદ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને કંપનીને વધુ એક સત્તાવાર લેટર મોકલવાની તૈયારી કરી રહ્યુ છે. આ પત્ર દ્વારા કંપનીને એલર્ટ કરવામાં આવશે કે જો તે સરકારની માંગ પૂરી નહી કરે તો દેશમાં WhatsAppનો પ્રતિબંધ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જૂલાઇથી લઇને અત્યાર સુધી આ ત્રીજો સત્તાવાર લેટર હશે.
વાસ્તવમાં ભારતમાં WhatsAppની મદદથી ફેક ન્યૂઝ અને અફવાહોના ફેલાયા બાદ મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. WhatsAppના CEOએ થોડા સમય પહેલા કેન્દ્રિય માહિતી અને ટેક્નોલોજી મંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સરકારે WhatsApp અફવાઓ રોકવા પોર્ન અને ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે ટેક્નિકલ સમાધાન શોધવાનું કહ્યુ હતુ.
સરકારે આ 3 શરતો મૂકી:
- WhatsApp પર ફેક ન્યૂઝ અને અફવાઓનો રોકવા માટે અને તેના માટે પ્રભાવી રીત શોધવામાં આવે છે.
- ભારતમાં કામ કરવા માટે ઑફિસ બનાવવામાં આવે.
- ફેક મેસેજના મૂળને જાણવા માટે ટેક્નિકલ સમાધાન શોધે અને ફરિયાદના ઉકેલ માટે અધિકારીની નિમણૂક કરે.
સરકારે આ 3 માંગોને ધ્યાનમાં રાખીને WhatsAppએ ઘણા ફેરફાર કર્યા છે. જેનાથી ફેક ન્યૂઝ ન ફેલાય જેમકે માત્ર પાંચ ગ્રુપમાં એક વખત મેસેજ મોકલી શકાય છે જે પહેલા 250ને મોકલી શકાતા હતા સાથે જ બધાએ આ અંગે સ્પષ્ટ જાણકારી આપવામાં આવી રહી છે કે મેસેજ ફોરવર્ડ કરાયેલો છે કે નહી. જોકે એટલું પૂરતું નથી. સરકારનું કહેવુ છે કે જો WhatsApp પોતાના મેસેજ એન્ક્રિપ્શન સાથે સમજૂતી નથી કરવા માંગતી તો બીજી કોઇ ટેક્નિકલ રીત આપવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે ભારતમાં WhatsAppના 1.5 બિલિયન એક્ટિવ યૂઝર્સ છે જે ભારતનું સૌથી મોટું માર્કેટ છે. કંપની કેટલીક નવી સર્વિસીઝ જેવી કે પેમેન્ટ પ્લેટફોર્મ અને એડવર્ટાઇઝર્સ માટે પણ સર્વિસ લાવવાનું વિચારી રહી છે.