કોરોના વાયરસ મહામારી વચ્ચે સામાન્ય ટેક્સપેયર્સ અને બિઝનેસમેનને રાહત આપતા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. નાણામંત્રાલયે 5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિફંડ આપવા માટેના આદેશ આપ્યા છે. આ નિર્ણય છે 14 લાખ ટેક્સપેયર્સને થશે ફાયદો.
નાણા મંત્રાલયે GSTઅને કસ્ટમમાં ટેક્સ રિફંડ આપવાના પણ આદેશ આપ્યા છે. જેના કારણે 1 લાખ બિઝનેસમેન અને MSMEને રાહત મળશે. નોંધનીય છે કે, સરકાર કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરશે.
ટેક્સ રીટર્ન ફાઇલ કર્યા બાદ ઇ-વેરિફિકેશન થાય છે. ત્યારબાદ આવકવેરા રીફંડ મેળવવા માટે લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગે છે. જો કે, ઘણી વખત, તે ફક્ત 15 દિવસમાં જ ક્રેડિટ થઇ જાય છે. આવકવેરા રિફંડના ઇ-વેરિફિકેશન બાદ રિફંડની પ્રક્રિયા શરૂ થાય છે. આવકવેરા રિફંડની સ્થિતિ એનએસડીએલની આવકવેરા ઇ-ફાઇલિંગ પોર્ટલ અને વેબસાઇટ પર જોઈ શકાય છે. કરદાતાઓએ તેમનો પેન નંબર અને આકારણી વર્ષ દાખલ કરવો પડશે.
આવકવેરા વિભાગે કરી હતી જાહેરાત
આપને જણાવી દઇએ કે,આવકવેરા વિભાગે જાહેરાત કરી છે કે તે 1 માર્ચ, 2019 થી ફક્ત ઇ-રિફંડ જાહેર કરશે. આ રિફંડ ફક્ત તે જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે જે પેન કાર્ડ સાથે જોડાયેલું છે અને આવકવેરા ઇ-ફાઇલિંગ www.incometaxefiling.gov.in પર પહેલાં તેની ચકાસણી કરવામાં આવી છે.
આ સાથે જ ઈન્કમટેક્ષ રિફંડનું સ્ટૅટસ ઘરેબેઠાં સરળતાથી ચેક કરવું હોય તો ખાસ જુઓ નીચેનો વીડિયો