દેશના કેટલાક પેટ્રોલ પંપ પર આવતા વર્ષે એપ્રિલથી 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ થશે. આ દાવો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો છે.
દેશમાં આવતા વર્ષમાં 20 ટકા ઇથેનોલ યુકત પેટ્રોલ મળશે
હાલ ભારતે 10 ટકા ઇથેનોલ યુક્ત પેટ્રોલની સિદ્ધિ હાંસિલ કરી
10 ટકા ઇથેનોલ મિશ્રણથી રૂ.41,500 કરોડથી વધુની બચત થઈ છે
દેશના કેટલાક પેટ્રોલ પંપ પર આવતા વર્ષે એપ્રિલથી 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ થશે. આ દાવો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો છે. પુરીએ કહ્યું કે, વર્ષ 2025 સુધી દેશમાં માત્ર 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ થશે. આનાથી ક્રુડની આયાત પર દેશને વાર્ષિક 4 અરબ ડોલરની બચત થશે.
10% ઇથેનોલનું લક્ષ હાંસિલ
રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલા જ હાંસલ કરી લેવામાં આવ્યું છે. સરકારે આ માટે નવેમ્બર 2022ની ડેડલાઈન નક્કી કરી હતી, પરંતુ પાંચ મહિના પહેલા જૂનમાં તે પૂરી થઈ ગઈ છે.
Towards a low-carbon sustainable economy!
On the occasion of #WorldBiofuelDay2022, let us have a look at our Ethanol Blended Petrol Programme which was launched in January 2003
— Ministry of Information and Broadcasting (@MIB_India) August 10, 2022
ખેડૂતોને પણ લાભ થશે
પુરીએ જણાવ્યું હતું કે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણથી વિદેશી હૂંડિયામણમાં રૂ.41,500 કરોડથી વધુની બચત થઈ છે. અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 27 લાખ ટનનો ઘટાડો થયો છે. ખેડૂતોને પણ આનો લાભ મળ્યો છે. 40,600 કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે.
4 અબજ ડોલરની બચત
અમેરિકા, બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને ચીન પછી ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો ઇથેનોલ ઉત્પાદક દેશ છે. ઇથેનોલનો વિશ્વભરમાં અન્ય હેતુઓમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. બ્રાઝિલ અને ભારત તેને માત્ર પેટ્રોલમાં ભેળવી રહ્યા છે. 20 ઇથેનોલ મિશ્રણો સાથે ક્રૂડના પુરવઠાથી વાર્ષિક 4 અબજ ડોલરની બચત થવાનો અંદાજ છે.
કાચા તેલની આયાતમાં ધટાડો થશે
હાલ પેટ્રોલમાં 10.17 ટકા ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે. વર્ષ 2020-21માં પેટ્રોલમાં 8.10 ટકા ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું હતું. તે જ સમયે, તે 2019-20 માં પાંચ ટકા હતો. વર્ષ 2013-14માં ભારતમાં પેટ્રોલમાં માત્ર 1.53 ટકા ઇથેનોલ ઉમેરવામાં આવ્યું હતું. પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ માટે 1,000 કરોડ લિટર ઇથેનોલની જરૂર પડશે. જેમ જેમ ઇથેનોલનું પ્રમાણ વધશે તેમ તેમ કાચા તેલની આયાત પણ એટલી જ માત્રામાં ઘટશે.
ઇથેનોલનું 10 ગણું ઉત્પાદન વધ્યું
વિશ્વ જૈવઇંધણ દિવસના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બીજી પેઢીના ઇથેનોલ પ્લાન્ટ દેશને સમર્પિત કર્યો. હરિયાણાના પાનીપતમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરી નજીક 900 કરોડ રૂપિયાના ખર્ચે ઇથેનોલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેમાં ચોખાના પરાળમાંથી વાર્ષિક આશરે ત્રણ કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમારંભને સંબોધન કરતાં કહ્યું હતું કે, છેલ્લાં સાત-આઠ વર્ષમાં દેશમાં પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરીને રૂ.50,000 કરોડની બચત થઈ છે. તેમણે કહ્યું કે આઠ વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન 40 કરોડ લિટરથી વધીને 400 કરોડ લિટર થયું છે.