મોદી સરકારે ડ્રાઇવિંગ લાઇસેન્સથી જોડાયેલ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સરકાર તરફથી આ ફેરફારને ક્રાંતિકારી કરાર આપવામાં આવ્યો છે. આનાથી એવા લોકોને સૌથી વધારે ફાયદો મળશે કે જે ભણેલા-ગણેલા નથી. ચલો તો જાણીએ શું છે એ બદલાવ
મોદી સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ફરજીયાત ખતમ કરી દીધું છે.
મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે હવે ડ્રાઇવિંગ લાઇસેન્સ બનાવવા અથવા રિન્યૂ કરાવવા માટે ધોરણ-8 પાસની શૈક્ષણિક લાયકાતની કોઇ જરૂર નહીં રહે. આ નિર્ણયથી ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરનારને લાઇસન્સ મળી જશે.
આ બદલાવના સંબંધમાં જાણકારી આપતાં કેબિનેટ મંત્રી નિતિન ગડકરીએ સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું- સમાજામં ઓછું ભણેલા-ગણેલા અને ગરીબ લોકો ડ્રાઇવિંગથી રોજગારી શોધે છે. સરકારે ધોરણ-8 પાસની શૈક્ષણિક લાયકાત ફરજીયાત હટાવી દીધું જેનાથી એમના ભણતરના કારણે રોજગાર રોકાય નહીં. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં 22 લાખથી વધુ ડ્રાઇવરોની ઘટ છે, જેનાથી લાખો લોકોનું જીવન સારું થઇ શકે છે.
समाज के कम पढ़े-लिखे और गरीब लोग ड्राइविंग से रोजगार की सम्भावना तलाशते हैं। सरकार ने आठवी तक की पढ़ाई की अनिवार्यता हटा दी है जिससे उनकी पढ़ाई के कारण रोजगार न रुके। ट्रांसपोर्ट सेक्टर में भी 22 लाख से अधिक ड्राइवरों की कमी है, इससे लाखों जिंदगीयां बेहतर हो सकती हैं। pic.twitter.com/RVcP2oG139
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) June 18, 2019
મોદી સરકારના નિર્ણયથી લાખો લોકોને રોજગારની તક મળશે ઉપરાંત ડ્રાઇવિંગની ટ્રેનિંગ માટે દેશમાં 2 લાખ સ્કીલ સેન્ટર પણ ખોલવામાં આવશે. અહીંયા લોકોને ટ્રેનિંગ દ્વારા રસ્તા સુરક્ષાના નિયમ જણાવવામાં આવશે.