વિદેશી કંપનીઓ હવે દેશની રક્ષામાં ઓટોમેટિક રુટથી 74 ટકા રોકાણ કરી શકશે. ઉદ્યોગ સંવર્ધન તથા આંતરિક વ્યાપાર વિભાગ(ડીપીઆઈઆઈટી)એ ગુરુવારે રક્ષા ક્ષેત્રમાં 74 ટકા એફડીઆઈની સૂચના જાહેર કરી છે.
પહેલા ઓટોમેટિક રુટથી ફક્ત 49 ટકા રોકાણ કરી શકતા હતા
હવે રક્ષામાં ઓટોમેટિક રુટથી 74 ટકા રોકાણ કરી શકશે
હાલના નિયમો હેઠળ રક્ષા ક્ષેત્રમાં 100 ટકા રોકાણની પરવાનગી છે
એક તરફ સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન ખેડ્યુ છે. બીજી તરફ રક્ષામાં વિદેશી કંપનીઓના રોકાણની મર્યાદા 49થી વધારીને 74 કરી નાંખી છે. એટલું જ નહીં તેઓ 74થી પણ વધારે રોકણ કરી શકે છે પણ તે માટે તેમને પરવાનગી લેવાની રહેશે.
ડીપીઆઈઆઈટીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાને જોતા સરકારે કોઈ પણ વિદેશી રોકાણની તપાસ કરવા માટે અને તેને બહાર કાઢવાનો અધિકાર રાખશે. એફડીઆઈના હાલના નિયમો હેઠળ રક્ષા ક્ષેત્રમાં 100 ટકા રોકાણની પરવાનગી છે. પરંતુ ઓટોમેટિક રુટથી ફક્ત 49 ટકા રોકાણ કરી શકતા હતા.
નવા નિયમ મુજબ વિદેશી કંપનીઓ પરવાનગી વગપ 74 ટકા સુધી રોકાણ કરી શકશે અને આનાથી વધારે રોકાણ કરવા માટે સરકારની વપરવાનગી લેવાની રહેશે. જોકે કંપનીઓને 49 ટકાના રોકાણ માટે ઔદ્યોગિક લાઈસન્સ લેવાની જરુર નહી રહે.