ખાદ્ય તેલના આસમાને પહોંચી રહેલા ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્યતા છે. એવુ સરકારના એક નિર્ણયથી થશે. સરકારે ખાદ્ય પર તેલ પર લેવાતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ખાદ્ય તેલો પર લેવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં હવે 5.5 ટકાનો ઘટાડો કર્યો છે.
સરકારે ખાદ્ય તેલમાં લેવાતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો ઘટાડો
ઈમ્પોર્ટ ડ્યુટીમાં હવે 5.5 ટકાનો ઘટાડો કર્યો
કેન્દ્રએ રાજ્યોને કર્યો આદેશ, સંગ્રહખોરી કરનારા પર કરો કાર્યવાહી
જાણો, ઈમ્પોર્ટ ડ્યુટીની યાદી
માનવામાં આવી રહ્યું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળશે. સરકાર તરફથી ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે આ પગલુ મહત્વનું છે. અહેવાલ મુજબ, એક વર્ષ સુધી ઘણાં તેલોના ભાવ 50 ટકા વધ્યાં. ગયા મહિને પણ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારના હાલના નિર્ણય બાદ ક્રૂડ પામ ઓઈલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 30.25 ટકા ઘટાડી 24.75 ટકા, ક્રૂડ ડીગમ્ડ સોયાબીન તેલ પર 30.25 ટકાથી ઘટાડીને 24.75 ટકા અને ક્રૂડ સન ફ્લાવર ઓઈલ પર 30.25 ટકાથી ઘટાડીને 24.75 ટકા, આરબીપી પામ ઓઈલ પર 41.25 ટકાથી ઘટાડીને 35.75 ટકા અને રીફાઈન્ડ સોયાબીન ઓઈલ પર 41.25 ટકાથી ઘટાડીને 35.75 ટકા થયુ છે.
તેલની સંગ્રહખોરી કરનારા પર કરો કાર્યવાહી: કેન્દ્ર
ખાદ્ય તેલના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યોને કહ્યું કે, તેઓ છૂટક વેપારીઓને ગ્રાહકોના લાભ માટે દરેક ખાદ્ય તેલ બ્રાન્ડની કિંમતોનું મુખ્ય રીતે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપે. આ સાથે જથ્થાબંધ વ્યાપારી, મિલ માલિક અને તેલ રિફાઈનિંગના સ્તરે કોઈ પણ તેલની સંગ્રહખોરી કરતુ હોય તેના પર કાર્યવાહી કરવામાં આવે.