ભારત અને તાલિબાનો વચ્ચે પહેલી અનૌપચારિક મિટિંગ થઈ હતી. કતારના દોહામ ભારતીય રાજદૂત દિપક મિત્તર અને તાલિબાન નેતા શેર મોહમ્મદ વચ્ચે આ મિટિંગ થઈ હતી.
ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત મંગળવારે થઈ હતી. કતારમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનેકઝાઈ સાથે વાતચીત કરી. અહેવાલો અનુસાર, મિત્તલ અને શેર મોહમ્મદ વચ્ચે આ બેઠક તાલિબાનની પહેલ પર થઈ શકી હતી.
અબ્બાસ તાલિબાનની રાજકીય પાંખના વડા છે અને ભારત સાથે લાંબા સમયથી સંબંધ ધરાવે છે. આ બેઠક દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ હતી. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી છે. શેર મોહમ્મદ 1980 માં ભારતમાં રહ્યો હતો. તેણે દહેરાદૂન સ્થિત મિલિટરી એકેડમીમાં તાલીમ લીધી છે. તે અફઘાન સૈન્યમાં રહ્યો હતો, પરંતુ બાદમાં તે છોડીને તાલિબાન સાથે જોડાઈ ગયો હતો.
ભારતે આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી
મીટિંગ દરમિયાન મિત્તલે અબ્બાસને કહ્યું કે ભારત અફઘાનિસ્તાનની જમીનનો આતંકવાદ માટે ઉપયોગ થવાના અહેવાલોથી ચિંતિત છે. ભારતની ચિંતાનો જવાબ આપતા અબ્બાસે ખાતરી આપી કે તાલિબાન સરકાર આ મામલાને અત્યંત ગંભીરતાથી જોશે.
નિવેદન અનુસાર- વાતચીતનું કેન્દ્ર સુરક્ષા અને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત વાપસી પર હતું. ભારતે તાલિબાન નેતાઓને કહ્યું કે અમે અફઘાનિસ્તાનના લઘુમતીઓ માટે પણ ચિંતિત છીએ જે ભારતમાં આવવા માંગે છે. મિત્તલે અબ્બાસને એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કોઈ પ્રવૃત્તિ કે આતંકવાદ માટે થવો જોઈએ નહીં.
થોભો અને રાહ જુવો
તાજેતરમાં ભારતમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે ભારત અત્યારે અફઘાનિસ્તાન અંગે થોભો અને રાહ જુઓની વ્યૂહરચના અનુસરી રહ્યું છે. આ બાબતે નજીકના સહયોગીઓ સાથે વાતચીત પણ ચાલી રહી છે.
તાલિબાનના બે પ્રવક્તાઓ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નવું શાસન ભારત સાથે વેપાર અને રાજકીય સંબંધો ઇચ્છે છે અને ભારતનો આ વિશે સંપર્ક કરશે. શેર મોહમ્મદે પોતે બે દિવસ પહેલા કહ્યું હતું કે જો પાકિસ્તાન બંને દેશો વચ્ચે વેપાર માર્ગ ખોલવાની ના પાડે તો એર કોરિડોરનો વિકલ્પ ખુલ્લો છે.
પ્રિયંકા અને ઓવૈસીએ સરકાર પર ઉઠાવ્યા આકરા સવાલ
તાલિબાન સાથે વાતચીતના સમાચાર પ્રકાશમાં આવતા જ વિપક્ષી નેતાઓએ સરકાર પર હુમલૉ કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે અભિનંદન! આતંકના નામે કોઈ સમાધાન ન કરનાર મોદી સરકારે તાલિબાન સાથે વાતચીત શરૂ કરી છે. ભારતના રાજદૂતે આજે (મંગળવારે) તાલિબાનના રાજકીય વડા સાથે વાતચીત કરી છે અને તેમને રાજકીય માન્યતા આપવાની દિશામાં એક પગલું ભર્યું છે.
Will these “talks” lead to recognition of #Taliban? India chairs UN Taliban sanctions committee, will this mean that they’ll be delisted? Or will you put them in UAPA terror list?
I suggest BJP’s jacks in boxes go to these talks, or they shut up & stop calling everyone Taliban pic.twitter.com/gDCKsuNdwt
સાથે જ AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે શું આ પ્રકારની વાતચીત તાલિબાનને માન્યતા અપાવવામાં મદદ કરશે? ભારત યુનાઇટેડ નેશન્સમાં તાલિબાન પર પ્રતિબંધ મૂકવાની સમિતિના અધ્યક્ષ છે. શું તેઓને આ યાદીમાંથી હટાવવામાં આવશે? અથવા તમે તેમને UAPA એક્ટ હેઠળ આતંકવાદીઓની યાદીમાં મૂકશો. હું બીજેપી સમર્થકોને સૂચન કરું છું કે આવી વાતો સાથે આગળ વધો અથવા ચૂપ રહો અને દરેકને તાલિબાન કહેવાનું બંધ કરો.