તમે જોયું જ હશે કે ઘમા લોકો કાર પર ભારતનો ઝંડો લગાવે છે અને બની શકે છે કે તમે પણ પોતાની કારમાં લગાવતા હોય. પરંતુ નિયમ શું છે? જાણો તેના વિશે....
જાણો ઝંડો ફરકાવવાના નિયમો
ગાડી પર ગમે તે રીતે ન ફરકાવતા ઝંડો
જાણી લો શું છે કાયદો અને નિયમો
26 જાન્યુઆરી અથવા 15 ઓગસ્ટના અવસર પર રસ્તા પર ભારતના ઝંડા વેચાવવાનું શરૂ થઈ જાય છે. ઘણા લોકો પોતાના ઘર અથવા કાર પર ઝંડા લગાવે છે. લોકો દેશભક્તિની ભાવનાથી આમ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઝંડા ફરકાવવાના અમુક કાયદાકીય નિયમો છે. આ નિયમ અનુસાર ગમે તે વ્યક્તિ કાર પર ભારતનો ઝંડો ન લગાવી શકે અને આમ કરવું ભારતીય ઝંડાના સન્માનનું ઉલ્લંઘન છે.
કોણ લગાવી શકે છે ઝંડો?
ગૃહ મંત્રાલયની ઓફિશ્યલ વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર રાષ્ટ્રીય ધ્યજ ફરકાવવા સંબંધી ભારતીય ઝંડા સંહિતા 2002 જણાવવામાં આવી છે. તેમાં ઝંડારોહણથી લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ કરવો જોઈએ. આ ઝંડા સંહિતામાં અમુક લોકોની કારમાં ઝંડો ફરકાવવાનો ખાસ અધિકાર આપવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ ઉપ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલ પ્રધાનમંત્રી અને અન્ય કેબિનેટ મંત્રી કેન્દ્રના રાજ્ય મંત્રી અને ઉપ મંત્રી મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી લોકસભા અધ્યક્ષ રાજસભા અને લોકસભા ઉપાધ્યક્ષ, વિદેશોમાં સ્થિત ભારતીય મિશનો પોસ્ટોને અધ્યક્ષ, વિધાનસભાઓના અધ્યક્ષ, ભારતના મુખ્ય ન્યાયાધીશ હાઈકોર્ટને ન્યાયાધીશ ઝંડો લગાવી શકે છે.
કઈ રીતે લગાવવો જોઈએ ઝંડો?
જ્યારે કોઈ વિદેશી મહેમાન સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી કારમાં યાત્રા કરે છે તો રાષ્ટ્રીય ધ્વજ કારની જમણી બાજુ લગાવવામાં આવે છે અને સંબંધિત બીજા દેશના વ્યક્તિનો ઝંડો કારની ડાબી બાજુ લગાવવાના હોય છે.
થઈ શકે છે કાર્યવાહી
નિયમો અનુસાર, ઉપર જણાવેલ એક વ્યક્તિ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કાર પર ઝંડો લગાવે છે તો તેના પર કાર્યવાહી થઈ શકે છે. તે ઉપરાંત જો કોઈ વ્યક્તિ ભારતના સંવિધાન અથવા તેના ભાગને લજાવે છે કે તેની સાથે દુર્વ્યવહાર કરે છે તો રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 હેઠળ 3 વર્ષની જેલ અથવા દંડ થઈ શકે છે. આ ઉપરાંત ઝંડા સંહિતામાં ઘણા પ્રકારના અન્ય નિયમ પણ નક્કી કરવામાં આવ્યા છે જે અનુસાર ઝંડાનો ઉપયોગ કરી શકાય છે.