Russia અને Ukraine વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લઈ આવવા માટે તિરંગો મદદરૂપ બન્યો હતો. એટલે સુધી કે રશિયન્સ પણ તેની રિસ્પેક્ટ કરી રહ્યા છે. જાણો કઈ રીતે
રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયો માટે સંકટ
વિદ્યાર્થીઓ છોડી રહ્યા છે યુક્રેન
નજીકના દેશોમાં જઈને ભારતની ફ્લાઇટ પકડશે
ભારત દેશની શાન સમા તીરંગાએ આજે ઘણા લોકોના જીવ બચાવી લેવામાં મોટો ફાળો આપ્યો હતો. યુક્રેનમાં એક તરફ ભયાનક માહોલ છે તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. આ ભારતીય વિદ્યાર્થીઓ પોતાના વતન ધીમે ધીમે પરત ફરી રહ્યા છે.
પણ પાછા આવી રહેલા આ વિદ્યાર્થીઓ માટે તિરંગો મદદગાર બની રહ્યો છે. કારણ કે બીજા દેશોની સીમા પર જ્યારે તેઓ પહોંચે છે ત્યારે તેની મદદ કરવા માટે બસો અને અન્ય વાહનોમાં તીરંગા ઝંડા લગાવવામાં આવ્યા હોય છે.
રશિયન સેન પણ આપે છે સન્માન
સાથે ભારત સરકાર તરફથી આદેશ તરફ પણ ધ્યાન દોરવામાં આવે તો રશિયન સેનાના જવાનો પણ ભારતનો ઝંડો જોઈ તેનું સન્માન કરતાં દેખાય છે અને તે વાહનોને જવા દેવામાં આવે છે તેમજ કોઈ પણ પ્રકારની કનડગત કરવામાં નથી આવતી તેનું કારણ એ છે કે ભારતીયોને સુરક્ષિત કાઢવામાં રશિયન સેનાની આ પ્રકારે મદદ મળી રહી છે અને તેનું કારણ ભારતનો ઝંડો છે.
એક વિદ્યાર્થી આશીષે કહ્યું હતું કે ભારતીય ઝંડો લાગેલો જોઈને બસોને સન્માન અને બેરોકટોક જવા દેવામાં આવે છે.
ભારતીય વિદ્યાર્થીઓ માટે સંકટ
યુક્રેનમાં રશિયાઈ સેનાની બર્બરતા માનવતા પર એક બહું મોટુ સંકટ ઊભુ કરી દીધું છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ છે, જે ત્યાં ફસાયેલા છે અને ઘરે પાછા ફરવા માગે છે. ભારત સરકાર સતત પોતાના નાગરિકોને ત્યાંથી સહીસલામત પાછા લાવવાની મથામણ કરી રહ્યું છે. પણ તેમાંથી એક ભારતીય વિદ્યાર્થિની છે, જે આ ડર અને ખતરાના માહોલની વચ્ચે પણ માણસાઈનો સાથ છોડવા તૈયાર નથી. યુદ્ધ વચ્ચે ફસાયેલી હરિયાણાની એક મેડિકલ વિદ્યાર્થિનીએ યુક્રેન છોડવાની ના પાડી દીધી છે, જો કે, તેણે અન્ય વિદ્યાર્થીઓની માફક તેને પણ સ્વદેશ પાછા ફરવાનો મોકો મળ્યો હતો.
એવી માહિતી સામે આવી છે કે યુક્રેનમાં અત્યાર સુધીમાં 200 લોકોના મોત થયા છે. જ્યારે યુક્રેને પણ એવો દાવો કર્યો છે કે રશિયાના પણ ઘણા સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. ગેસ પાઈપલાઈન ઉડાવ્યા બાદ સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કોંમ્યુનિકેશન એંન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેકશન દ્વારા કહેવામાં આવ્યું કે આને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે.
કીવમાં રશિયા અને યુક્રેનની સેના સામસામે
આપને જણાવી દઈએ રશિયાની સેના કીવ પર કબ્જો જમાવાની તૈયારી કરી રહી છે. જેથી કીવમાં સોમવાર સવાર સુધી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે. સાથેજ લોકોને તેમના ઘરમાં રહેવા માટે જ સૂચના આપવામાં આવી છે. કારણકે રશિયન સેના કિવમાં ઘુસીને યુદ્ધ કરી રહી છે. જેમા સામાન્ય લોકોને પણ નુકશાન તો થઈજ રહ્યું છે.
યુક્રેનમાં મોટા પ્રમાણમાં નુકશાન
ઉલ્લેખનીય છે કે શનિવારની સાંજે કીવના મધ્ય ભાગમાં શાતિ હતી. જોકે આ યુદ્ધને કારણે કિવમાં રહેતા લોકો ઘણા ભયમાં જીવી રહ્યા છે. રશિયાના હુમલાને કારણે પુલ, સ્કૂલ અને એપાર્ટમેન્ટોમાં ભારે નુકશાન થયું છે.