આજે બજેટને દિવસે એમ થાય કે ભારતના કયા નાણામંત્રી સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યા હશે? મોરારજી દેસાઈનું નામ આ લિસ્ટમાં પહેલુ છે. ભારતના બજેટમાં મોરારજી દેસાઈ સૌથી વધુ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે.
ક્યારે ક્યારે મોરારજીએ દેસાઈ રજૂ કર્યા હતા બજેટ
નિમર્લા સીતારામન આ વખતે 89મું બજેટ રજૂ કરશે
આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ 26 નાણાંમંત્રી જોયા
નાણાં મંત્રી નીર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ એટલે કે આજે બજેટ રજૂ કરવાના છે. આઝાદી બાદ અત્યાર સુધી દેશે કુલ 26 નાણાંમંત્રી જોયા છે. 1947થી અત્યારસુધી કુલ 89 સામાન્ય અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યા છે. નિમર્લા સીતારામન આ વખતે 89મું બજેટ રજૂ કરશે.
ભારતના ચોથા વડાપ્રધાન બન્યા ત્યાર પછી તેમણે નાણામંત્રી તરીકે લાગલગાટ 10 બજેટ રજૂ કર્યા હતા, તે બાદ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નાણામંત્રી પી.ચિદમ્બરમ છે, જેમણે કુલ આઠ વખત સંસદમાં બજેટ રજૂ કર્યુ છે.
ક્યારે ક્યારે મોરારજીએ દેસાઈ રજૂ કર્યા હતા બજેટ
મોરારજી દેસાઇ પ્રથમ વખત 13 માર્ચ, 1958થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા હતા, તે બાદ માર્ચ 1967થી જુલાઇ 1969 સુધી ફરી નાણામંત્રીની જવાબદારી સંભાળી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 10 બજેટ સંસદમાં રજૂ કર્યા, જેમાં આઠ પૂર્ણ બજેટ જ્યારે બે વચગાળાના બજેટ હતા.
વર્ષ 1964 અને 1968માં એવા પણ પ્રસંગ આવ્યા જ્યારે મોરારજી દેસાઇએ પોતાના જન્મ દિવસ પર સંસદમાં બજેટ રજૂ કર્યુ હતું. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896માં ગુજરાતના વલસાડ જિલ્લામાં એક ગામમાં થયો હતો. દેશમાં પ્રથમ વખત 1977માં બનેલી બિન-કોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા હતા. તે 24 માર્ચ, 1977થી 28 જુલાઇ, 1979 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.
ચાર વખત નાણામંત્રી રહી ચુકેલા પી.ચિદમ્બરમે કુલ 8 બજેટ સંસદમાં રજૂ કર્યા છે.
ચિદમ્બરમ પ્રથમ વખત એચ.ડી.દેવગૌડાની આગેવાનીમાં બનેલા સંયુક્ત મોર્ચા સરકારમાં એક જૂન, 1996માં નાણામંત્રી બન્યા હતા. તે 21 એપ્રિલ, 1997 સુધી નાણામંત્રી રહ્યા. તે બાદ એક મે, 1997થી લઇને 19 માર્ચ, 1998 સુધી તે તત્કાલીન વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાલની સરકારમાં નાણામંત્રી રહ્યા હતા.
તે બાદ ડૉ. મનમોહન સિંહના નેતૃત્વમાં બનેલી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન એટલે સંપ્રગ-1ની સરકારમાં ચિદમ્બરમ 22 મે, 2004થી લઇને 30 નવેમ્બર, 2008 સુધી નાણામંત્રી રહ્યા. ચિદમ્બરમ ચોથી વખત મનમોહન સિંહની આગેવાનીમાં સંપ્રગ-2ની સરકારમાં 31 જુલાઇ, 2012થી લઇ 26 મે 2014 સુધી નાણામંત્રી રહ્યા હતા.
આઝાદ ભારતનું પહેલું બજેટ
આઝાદી બાદ દેશનું પહેલુ બજેટ તત્કાલીન નાણાં મંત્રી આર.કે. શાનમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કર્યું હતુ.