રશિયા અને યુક્રેન યુદ્ધનો મોટો લાભ ભારતીય ખેડૂતોને મળ્યો છે.
રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતીય ખેડૂતોને લાભ થયો
બજારમાં MSP કરતા પણ વધારે ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે
એક ક્વિન્ટલ ઘઉંના 2300 રુપિયા મળી રહ્યાં છે
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલ અને અન્ય ઘણી વસ્તુઓના ભાવમાં વધારો થયો હોવા છતાં. પરંતુ આ યુદ્ધનો લાભ ભારતીય ખેડૂતોને મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે અને હવે તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે.
ક્વિન્ટલ દીઠ 2500 રુપિયાના ભાવે વેચાઈ રહ્યાં છે ઘઉં
રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત સર્જાઈ રહી છે તેને કારણે ભારતમાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ રુપિયા 2015 છે પરંતુ હાલમાં બજારમાં ક્વિન્ટલ દીઠ 2300 રુપિયાના ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે.
ઘઉંના ભાવ પહોંચ્યાં વિક્રમી સપાટીએ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયાભરમાં ઘઉંના ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયા છે. ભારત પાસે ઘઉંનો બફર સ્ટોક હોવાના અહેવાલોને કારણે ભાવ કાબુમાં આવ્યાં છે. ભારત પાસે હાલમાં 12 મિલિયન ટન ભારતીય ઘઉંની નિકાસનો સ્ટોક છે. આ વર્ષે ભારત દુનિયાના એ દેશોમાં ઘઉંની નિકાસ કરશે, જે પહેલા રશિયા અને યુક્રેનથી ઘઉં લેતા હતા. આ દેશોમાં ઘઉંનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર ઇજિપ્તનો સમાવેશ થાય છે.
પંજાબના ખેડૂતોને સૌથી મોટો ફાયદો મળ્યો
પંજાબ સરકાર આ વખતે 10 લાખ ટન ઓછા ઘઉંની ખરીદી કરી રહી છે. આની પાછળ સરકારની વિચારસરણી એ છે કે યુક્રેન અને રશિયામાં યુદ્ધને કારણે ખેડૂતો ઘઉંના પાકનો એક ભાગ બચાવશે જેથી તેઓ ભવિષ્યમાં તેને ખાનગી વેપારીઓને વેચી શકે. વાસ્તવમાં યૂક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંની અછત છે. શિકાગોના વાયદાના કારોબારમાં ઘઉંના ભાવમાં પણ ૪૦ ટકા સુધીનો વધારો થયો છે. રશિયા અને યુક્રેન ઘઉંના મુખ્ય નિકાસકારો છે અને યુદ્ધના કારણે નિકાસ અટકી ગઈ છે. આવી સ્થિતિમાં માંગ વધી છે અને ભારતમાં પણ તેની અસરને કારણે કિંમતો એમએસપીથી વધુ થઈ ગઈ છે.
ભારત પાસે નિકાસ કરવા માટે ઘઉંનો 12 મિલિયન સ્ટોક
ચીન પછી ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારત પાસે 2022-23માં નિકાસ કરવા માટે 12 મિલિયન ટન ઘઉં છે. અમેરિકાના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં ભારતે 85 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. સપ્લાયમાં ઘટાડો અને ઘઉંના વધતા ભાવને કારણે ઘણા દેશો પહેલી વાર ભારતમાંથી ઘઉંની આયાત કરશે. ભારતમાં છેલ્લા પાંચ પાકની સિઝનથી રેકોર્ડ ઘઉંનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ કારણોસર, ભારત પાસે ઘઉંનો પૂરતો વધારાનો જથ્થો છે જે તે નિકાસ કરી શકે છે. આ વખતે હવે ઘઉંની લણણીની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે પણ રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.