ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 3 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રિયાના પ્રવાસ પર છે. આ વેળાએ તેઓ આજે રવિવારે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેક્ઝાંડર શૈલેનબર્ગને મળ્યા હતા. આ દરમિયાન તેઓ કેટલાય રાજનીતિક સ્તરના કાર્યક્રમોમાં ભાગ લેશે.
મહત્વનું છે કે 27 વર્ષમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કે ભારતના વિદેશ મંત્રી ઓસ્ટ્રિયાની મુલાકાતે છે. આ મુલાકાત 2023માં બંને દેશો વચ્ચેના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર થઈ રહી છે. આ મામલે MEAએ માહિતી આપતા જણાવ્યું હતું કે વિદેશ મંત્રી એલેક્ઝાંડર શેલેનબર્ગ પણ માર્ચ 2022માં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ પ્રવાસ સિવાય ઉપરાંત બંને નેતાઓ અલગ-અલગ વૈશ્વિક કાર્યક્રમોમાં ત્રણ વાર મળ્યા હતા. તેઓ મ્યુનિખ, બ્રાતિસ્લાવા અને ન્યુયોર્કમાં આંતરરાષ્ટ્રીય તહેવારો દરમિયાન મળ્યા હતા.
Es freut mich, meinen guten Freund Alexander Schallenberg in Wien zu sehen. Mein erstes diplomatisches Engagement im Jahr 2023.
Ich danke ihm für die Einladung zum traditionellen Neujahrskonzert in Wien. https://t.co/KKyuoxp4Gt
એસ જયશંકરે ટ્વીટ કરી આપી માહિતી
ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે વિયેના ખાતે ઑસ્ટ્રિયાના વિદેશમંત્રી એલેક્ઝાન્ડર શૅલેનબર્ગ સાથે મુલાકાત કરી હતી. જે મામલે ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કરીને વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નવા વર્ષમાં મારા પ્રિય મિત્ર સાથેની પ્રથમ મુલાકાત છે. અને નવા વર્ષના સમારોહમાં મને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માનું છું.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે....
વિદેશ મંત્રી એસ જયશંકરે સાયપ્રસ પ્રવાસ દરમિયાન કહ્યું કે આપણી સરહદો પર પડકારો છે.વધુમાં પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું હતું કે તેઓ આતંકવાદને ક્યારેય પણ વાટાઘાટ માટે હથિયાર બનવા દેશે નહીં. વધુમાં કોરોનાને પગલે સરહદો પરના પડકારો વધુ આકરા બન્યા છે વધુમાં ચીન સાથેના સંબંધોની સ્થિતિ સામાન્ય ન હોવાનું પણ સૌ જાણે છે. અમે LAC ને એકપક્ષીય રીતે બદલવાના પ્રયાસ માટે સંમત નહિ થઈએ.તેથી અમે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા પર અડગ છીએ. તેમ અંતમાં જણાવ્યું હતું.