રશિયાએ ફરી વાર યુદ્ધ છેડતા ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને એક એડવાઈઝરી જારી કરીને તેમને બિન જરુરી પ્રવાસ ન કરવાની તાકીદ કરી છે.
રશિયાએ યુક્રેનમાં યુદ્ધ શરુ કરતા ભારત ચિંતિત
કીવ સ્થિત ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે બહાર પાડી એડવાઈઝરી
એડવાઈઝરીમાં કામ સિવાય બહાર ન નીકળવાની કરાઈ તાકીદ
અગાઉ ફેબ્રુઆરીમાં પણ આવી એડવાઈઝરી જારી કરાઈ હતી
રશિયાએ યુક્રેનના અનેક શહેરોને મિસાઈલ અને બોંબથી ધમરોળ્યાં
રશિયાએ યુદ્ધ શરુ કરતાં ભારતીયો યુક્રેનમાં ફસાયા છે આથી ચિંતિત થતા કીવમાં કાર્યરત ભારતીય દૂતાવાસ દ્વારા ત્યાં રહેતા ભારતીયો માટે એક એડવાઈઝરી જારી કરાઈ છે અને તેમાં ભારતીયોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરાઈ છે. કીવમાં રહેલાં તમામ ભારતીય નાગરિકો માટે એમ્બેસી એ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં લખ્યું છે કે જો ખૂબ જરૂરી ન હોય તો યાત્રા કરશો નહીં. આ સિવાય યુક્રેનમાં તમે જ્યાં પણ છો ત્યાંની માહિતી ભારતીયો એમ્બેસીમાં તમે સતત આપતાં રહેજો.
ભારતીયોને શું અપાઈ ચેતવણી
યુક્રેનમાં કાર્યરત ભારતીય દૂતાવાસ જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર, ભારતીય નાગરિકોને સલાહ અપાઈ છે કે રશિયાએ મોટાપાયે હુમલા શરુ કરતાં ભારતીય નાગરિકોએ જો જરુરી હોય તો જ બહાર નીકળવું જોઈએ અન્યથા તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ રહેવું જોઈએ.
Embassy of India in Kyiv issues advisory for all Indian nationals in Ukraine - Indian nationals are advised to avoid all non-essential travel to & within Ukraine...They're requested to keep the Embassy informed about status of their presence in Ukraine...#RussiaUkraineConflictpic.twitter.com/pxU8txTNCg
ગત ફેબ્રુઆરીમાં પણ ભારતીય દૂતાવાસે આવી ચેતવણી જારી કરી હતી
યુક્રેનમાં ફસાયેલાં ભારતીયો માટે ફેબ્રુઆરી મહિનામાં ભારત એમ્બેસી કીવ દ્વારા પગલાં લેવાયા હતાં જેના અંતર્ગત યુક્રેનમાં અટકાયેલા કેટલાક ભારતીયોને ભારત પાછાં લાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં . આજે ફરી એકવાર ભારતીય એમ્બેસીએ નોટિસ જાહેર કરી છે જેમાં લખેલું છે કે યુક્રેનમાં ફસાયેલાં ભારતીયોએ બિનજરૂરી યાત્રા કરવી નહીં. કીવમાં ચાલી રહેલા ગરમ યુદ્ધની વચ્ચે ભારતીયોની સુરક્ષા માટે આ સલાહ આપવામાં આવેલ છે. માત્ર એટલું જ નહીં પરંતુ નાગરિકો યુક્રેનમાં જે પણ સ્થળે મૂવ કરે તેની જાણ એમ્બેસીમાં આપવાની પણ સલાહ આપવામાં આવી છે.