મહામારીમાં મોદી સરકાર માટે એક સારા સમાચાર આવ્યાં છે. વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ મલ્પસે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા કોરોનામાંથી બેઠી થઈ રહી છે.
મહામારીમાં મોદી સરકાર માટે ગૂડ ન્યૂઝ
વર્લ્ડ બેન્કના પ્રેસિડન્ટનું આવ્યું મોટું નિવેદન
ભારતીય અર્થવ્યવસ્થા કોરોનામાંથી બેઠી થઈ રહી છે
વર્લ્ડ બેન્કના પ્રમુખ ડેવિડ મલ્પસે જણાવ્યું કે ભારતીય ઈકોનોમી ધીરેધીરે કોરોનાની મારમાંથી બહાર આવી રહી છે અને વર્લ્ડ બેન્ક તેનું સ્વાગત કરે છે.
તેમણે કહ્યું કે ઓપચારિક સેક્ટર અર્થવ્યવસ્થામાં વધારે લોકોને સામેલ કરીને લોકોની આવક વધારવાનો ભારતની સામે હજુ પણ મોટો પડકાર રહેલો છે જોકે ભારતે આ સેક્ટરમાં થોડી પ્રગતિ કરી છે પરંતુ તે પુરતી નથી. માલ્પસે જણાવ્યું કે કોરોનાની બન્ને લહેરને કારણે ભારત પર માઠી અસર પડી છે તે દુર્ભાગ્ય છે.
ભારતીય અર્થવ્યવસ્થા 8.3 ટકાના રેટથી વૃદ્ધિ કરશે,વર્લ્ડ બેન્કનું અનુમાન
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બેન્કે ચાલુ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 8.3 ટકાના રેટથી વૃદ્ધિ કરશે તેવું અનુમાન કરી ચૂકી છે. તેમણે કહ્યું કે બીજા રાષ્ટ્રોની જેમ ભારત પણ કોરોનાને કારણે સપ્લાય ચેઈનમાં અડચણનો સામનો કરી રહ્યું છે. ઈન્ડીયન ઈકોનોમી રિકવર થઈ રહી છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.
દેશમાં છૂટક મોંઘવારી દર ઘટીને 4.45 ટકા પર આવ્યો
ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને પગલે છૂટક મોંઘવારી દર ઘટીને 4.45 ટકા પર આવી ગયો છે. ઓગસ્ટમાં છૂટક મોઘવારી દર 5.3 ટકા હતો. એપ્રિલ 2021 પછી સૌથી ઓછો મોઘવારી દર સપ્ટેમ્બરમાં રહ્યો છે. મંગળવારે જારી સરકારી આંકડા અનુસાર Consumer Price Index આધારિત મોઘવારી ઓગસ્ટ 2021 માં 5.30 ટકા હતી જ્યારે સપ્ટેમ્બર 2020 માં 7.27 ટકા હતી. નેશનલ સ્ટેટિકલ ઓફિસ તરફથી 12 ઓક્ટોબરે સપ્ટેમ્બરના છૂટક મોંઘવારી દરના આંકડા બહાર પડાયા છે. જારી આંકડા અનુસાર ખાવાપીવાની ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે છૂટક મોઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. આંકડા અનુસાર મોઘવારી દર સપ્ટેમ્બરમાં ઘટીને 0.68 ટકા રહ્યો જ્યારે ઓગસ્ટમાં આ આંકડો 3.11 ટકા હતો.