દેશના આર્થિક મંદીના ઘણા આંકડા અને વિશ્લેષણો બહાર આવે છે પરંતુ હાલમાં પ્રકાશિત થયેલા એક આલેખે દેશના અર્થતંત્રની પોલ ખોલી છે. આ આલેખમાં વિશ્વની અલગ અલગ નિષ્ણાત સંસ્થાઓએ ભારતના આર્થિક વૃદ્ધિદરના આંકડાઓનો આવતા વર્ષના અંદાજા આપ્યા છે. આ અંદાજાઓમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
દુનિયાના અલગ અલગ ફાઈનાન્શિયલ કંપનીઓએ ભારતની આર્થીક વૃદ્ધિનો અંદાજો ઘટાડ્યો
NBFCની કપરી હાલત આ માટે જવાબદાર
સરકારની આવકની ખાઘ પણ વધી રહી છે
BJP સંચાલિત કેન્દ્ર સરકારના ગુલાબી વાયદો વચ્ચે છેલ્લા થોડા વર્ષથી અર્થતંત્રની માંદગી બદ થી બત્તર થઇ રહી છે. દેશનો જીડીપીનો વૃદ્ધિદર ઘટ્યા બાદ અનેક સંસ્થાઓ એ 2019-20ના દેશના વૃદ્ધિદરના અંદાજો ઘટાડી દીધા છે.
દેશનો જીડીપી દર 5%ના તળિયે પહોંચ્યા બાદ સફાળી જાગેલી સરકારે આર્થિક મંદીની કબૂલાત કરી છે. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ચીનના ટ્રેડવોર ઉપરાંત ભારતની સરકારી બેંકોનું નિયમન અને ક્રેડિટ એલોકેશનની ભૂલો મંદી માટે જવાબદાર ગણાય છે.
દુનિયાની અલગ અલગ સંસ્થાઓએ ભારતની બગડતી આર્થિક પરિસ્થિતિના પગલે તેમના ભારતના 2019-20ના જીડીપીના વૃદ્ધિદરના અંદાજામાં ધરખમ ઘટાડો કર્યો છે.
પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેઆ આલેખપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે world bank, RBI, OECD, S&P, ADB અને IMF જેવી સંસ્થાઓએ દેશના જીડીપીને 2019-20માં 7% કે તેથી વધુ ધાર્યો હતો. જો કે આ આર્થિક મંદીના પગલે સૌનો અંદાજો ઘટીને 7%થી ઓછો થઇ ચુક્યો છે.
Moody's નામની ક્રેડિટ રેટિંગ એજન્સીએ તો દેશની આર્થિક વૃદ્ધિનો અંદાજો 6%થી પણ નીચો આંક્યો છે.
કેમ અર્થતંત્રના કાંગરા ખરી રહ્યા છે?
ભારતીય અર્થતંત્રની મોટી મુશ્કેલી નબળા નોન બેન્કિંગ ફાઇનાન્શ્યલ કોર્પોરેશન્સ છે. ઉધાર આપતી આ સંસ્થાઓમાં સમસ્યા આવવાથી દેશના નાના નગરોમાં ઘર, વાહન વગેરે ખરીદવા ઇચ્છતા લોકો રૂપિયા ઉધાર લઇ શકતા નથી પરિણામે આ ક્ષેત્રોમાં મંદી આવે છે.
આ ઉપરાંત નિષ્ણાતોના મતે લોકોની માંગ, વપરાશ, ઇન્વેસ્ટમેન્ટ અને નિકાસમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત જીએસટી અંતર્ગત ઉઘરાવામાં આવતી ટેક્સની રકમ પણ ખુબ ઓછી મળી હોવાથી સરકાર પણ આર્થિક ખાધમાંથી પસાર થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં 30%માંથી 22% કરીને રાહત આપી છે પરંતુ ઘણી સ્ટોક માર્કેટની લિસ્ટેડ કંપનીઓના ભાવ ટેક્સની જાહેરાત બાદ વધ્યા હતા જે થોડા સમયમાં ફરીથી ઓછા થઇ ગયા.