પાકિસ્તાનમાં ભારતના બે રાજદ્વારીઓને પરેશાન કરવામાં આવ્યાં છે. બંને રાજદ્વારીઓની અટકાયત કરી લાહોરની પાસે સચ્ચા સૌદા ગુરૂદ્વારમાં બંધ કરી દેવામાં આવ્યાં હતા. બંને રાજદ્વારીઓ ભારતીય શીખ તીર્થયાત્રીઓની યાત્રાની સુવિધાની દેખરેખ માટે ગુરૂદ્વારામાં હતા. આ ઘટના 17 એપ્રિલની હોવાનું બહાર આવ્યું છે.
બંને રાજદ્વારીઓએને અંદાજે 20 મીનિટ સુધી રૂમમાં બંધ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને ગુરૂદ્વારામાં ક્યારેય પ્રવેશ નહીં કરવાની ધમકી આપી હતી. ભારતે 25 એપ્રિલના રોજ આ ઘટનાને લઇને ડેમાર્શ જાહેર કર્યો.
ભારતે પાકિસ્તાનમાં પોતાના રાજદ્વારીઓની સુરક્ષાને લઇને ચિંતાને લઇને ગયા મહિને ગુપ્તચર એજન્સીઓ દ્વારા બંને રાજદ્વારીઓને પરેશાન કરવાને લઇને ફરિયાદ કરી છે. હાલમાં જ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયને સોંપવામાં આવેલા પત્રમાં ઉચ્ચાયોગની સુરક્ષા અંગે આપત્તિપત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પાકિસ્તાનને 25 એપ્રિલે મોકલેલ એક નોટમાં ભારતે લાહોર પાસેના સચ્ચા સૌદા ગુરૂ્દ્વારામાં 17 એપ્રિલના રોજ બે રાજદ્વારીઓને પરેશાન કરી તેમની અટકાયતનો વિરોધ કર્યો છે.