રશિયા-યુક્રેન વોર પર હવે દુનિયામાં ભારતીય ડિપ્લોમસીની ચર્ચા થવા લાગી છે.
દુનિયાને પસંદ પડી ભારતીય ડિપ્લોમસી
જર્મનીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણના કર્યા વખાણ
જર્મનીના રાજદુતે કહ્યું-ભારતની ડિપ્લોમસી શાનદાર
જર્મન રાજદુતે કહ્યું-ભારતને શુ કરવું શું ન કરવું તેની ખબર
રશિયા અને યુક્રેન પર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના વલણનો ઉલ્લેખ કરતા જર્મન રાજદુત વોલ્ટર લિંડનરે રવિવારે જણાવ્યું કે ભારતની ડિપ્લોમસી (કુટનીતિ) સેના શાનદાર છે અને વૈશ્વિક વિશ્વ વ્યવસ્થાને જોતા તેના રાજદ્વારીઓને ખબર છે કે આ મુદ્દે ભારતના વલણને લઈને શું કરવાનું છે.
India has excellent diplomatic service, they know what to do... It's not about Ukraine or the EU, it is about the global world order...We all have to stand together against it...: Walter J Lindner, German Envoy to India on #UkraineCrisispic.twitter.com/jMdtoJY7K4
રશિયન રાષ્ટ્રપતિ પહેલા દિવસથી ખોટું બોલી રહ્યાં છે
જર્મન રાજદુત વોલ્ટરે રશિયાના રાષ્ટ્રપતિની ભૂમિકા પર સવાલ ઊભા કર્યાં. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પહેલા દિવસથી ખોટું બોલી રહ્યાં છે. તેઓ આક્રમણ કરી રહ્યાં નથી પરંતુ ત્યાં રશિયન ભાષી લોકોને બચાવી રહ્યાં છે અને હવે ગોળાબારી અને બોંબમારો થઈ રહ્યો છે. નાટો એક સંરક્ષણ સંગઠન છે,અમે ક્યારેય આવા આક્રમક રહ્યાં નથી. ક્યારેય પણ કોઈ વસ્તુ પર આક્રમણ કર્યું નથી.
ના પુતિન હવે બંધ કરો એવું હવે કહેવું પડશે-જર્મન રાજદૂત
લિન્ડનરે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા જુઓ. શું આપણે ઇચ્છીએ છીએ કે શાંતિપૂર્ણ અને લોકશાહી પાડોશી પર આવો વ્યાપક, આક્રમક હુમલો એ રમતનું શાસન બને? આ ભવિષ્યમાં દરેક વિવાદિત સરહદ માટે હિંસાનો આશરો લેવા માટે એક દાખલો બેસાડશે. તેથી, આપણે બધાએ પુતિન સામે એક સાથે ઉભા રહેવું પડશે અને કહેવું પડશે કે 'ના પુતિન, તેને બંધ કરો'.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન મુદ્દે મતદાન ન કર્યું
બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ)માં યૂક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી વિરુદ્ધ એક પ્રસ્તાવ પર મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન ભારત સહિત 34 દેશોએ મતદાન કર્યું ન હતું. આ પહેલા ભારતે યૂએનજીએમાં યૂક્રેન સંકટ પર વિશેષ આપાતકાલીન સત્ર યોજવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં રશિયા વિરુદ્ધ થયેલા મતદાનમાં પણ મતદાનથી દૂર રહ્યું હતું.
પહેલા મતદાનમાં પણ ભારતે હિસ્સો લીધો નહોતો
યુક્રેન-રશિયા વોરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં પહેલા મતદાનમાં પણ ભારતે હિસ્સો લીધો નહોતો ત્યારે રશિયાએ પણ ભારતના વખાણ કર્યાં હતા. રશિયા-યુક્રેન વોરના મુદ્દે ભારતે જે વલણ અપાવ્યું તે દુનિયા પસંદ કરવા લાગી છે અને જર્મનીએ તેનો પહેલો પુરાવો આપી દીધો છે.