નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જવાની પાકિસ્તાનની જાહેરાતના કેટલાક કલાક બાદ ટોચના રાજનયિક સૈયદ અકબરુદ્દીને મંગળવારે કહ્યું કે ભારત પોતાના ક્ષેત્રીય પ્રતિદ્વંદ્વી સાથે તે ઇચ્છે ત્યાં મુકાબલો કરવા તૈયાર છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયિ પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીનને એક ટીવી ચેનલને જણાવ્યું કે, 'પ્રત્યેક દેશને તેની પાસે ઉપલબ્ધ પ્રત્યેક રસ્તો અપનાવવાનો અધિકાર છે, અમારી વિચારસરણી અલગ છે. જો તે અમને અલગ અલગ અખાડાઓમાં પડકાર આપે છે તો, અમે એ જ અખાડામાં જવાબ આપવા તૈયાર છીએ. આ એમની પસંદનો અખાડો છે. એમને એકવાર કોશિશ કરી, પરંતુ એ નિષ્ફળ રહ્યા.'
જમ્મૂ કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયનો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ એક પાકિસ્તાની ચેનલને કહ્યું છે કે અમે કાશ્મીરનો મુદ્દે આંતરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવાનો નિર્ણય કર્યો છે. અમે આ નિર્ણય તમામ કાનૂની પક્ષોને ધ્યાનમાં રાખીને કર્યો છે.
આ પહેલા પાકિસ્તાન ભારતના કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર યૂએનએસસી ગયું હતું. કાઉન્સિલના સભ્યોએ ભારતનો પક્ષનું સમર્થન કરતા કહ્યું હતું કે આ દ્વિપક્ષીય મામલો છે.
કેટલાક દિવસ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી અનુચ્છેદ 370 રદ્દ કરવાના ભારતના નિર્ણય પર ચીની નેતૃત્વની સાથે વિચાર અને વિમર્શ કરવા માટે ચીન ગયા હતા. મીડિયાએ આ અંગે માહિતી આપી હતી. ન્યૂઝ ઇન્ટરનેશનલ મુજબ, શુક્રવારે બીજિંગ જતા પહેલા કુરેશીએ કહ્યું હતું કે ભારત પોતાના બિન બંધારણીય કાર્યવાહીથી ક્ષેત્રીય શાંતિને ભંગ કરી રહ્યું છે.