શું તમે ક્યારેય ભારતની ચલણી નોટો પર બનેલી ત્રાંસી લાઈન પર ધ્યાન આપ્યું છે? જો તમે આ લાઈન પર વિચાર કર્યો હશે તો તમે જોયુ હશે કે નોટની કિંમત પ્રમાણે તેની સંખ્યા ઘટે-વધે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રાંસી લાઈનને નોટ પર કેમ બનાવવામાં આવે છે.
ભારતની ચલણી નોટો પર ત્રાંસી લાઈન કેમ દોરવામાં આવે છે?
100, 200, 500 અને 2000 ની નોટો પર બનેલી લાઈનનો શું અર્થ છે?
અંધજન ચલણી નોટને અડતા જ ખબર પડશે કે આ કેટલા રૂપિયાની નોટ છે
કયા હોય છે બ્લીડ માર્ક્સ
આ લાઈન આ નોટ અંગે મહત્વની જાણકારી આપે છે. આવો જાણીએ 100, 200, 500 અને 2000 ની નોટો પર બનેલી આ લાઈનનો શું અર્થ છે? નોટો પર બનાવવામાં આવેલી આ ત્રાંસી લાઈનને બ્લીડ માર્ક્સ કહે છે. આ બ્લીડ માર્ક્સ વિશેષ રીતે અંધજનો માટે બનાવવામાં આવી છે. નોટ પર આ ત્રાંસી લાઈનને અડતા જ તેમને ખબર પડશે કે આ કેટલા રૂપિયાની નોટ છે. તેથી 100, 200, 500 અને 2000 ની નોટો પર અલગ-અલગ સંખ્યામાં લાઈનો બનાવવામાં આવી છે અને આ લાઈનથી અંધજનો તેની કિંમત પણ ઓળખી શકે છે.
નોટ પર છપાયેલી લાઈન તેની કિંમત દર્શાવે છે
હવે નોટની કિંમત પર નજર કરીએ. આ ત્રાંસી લાઈન નોટની કિંમત જણાવે છે. 100 રૂપિયાની નોટમાં બંને બાજુ ચાર-ચાર લાઈનો હોય છે, જેને અડીને નેત્રહીન લોકો સમજી જાય છે કે આ 100 રૂપિયાની નોટ છે. તો 200ની નોટની બંને બાજુ ચાર-ચાર લાઈન હોય છે અને બે-બે ઝીરો પણ હોય છે. તો 500ની નોટમાં 5 અને 2000ની નોટમાં બંને બાજુ 7-7 લાઈનો બનાવવામાં આવી છે. આ લાઈનની મદદથી જ અંધજન સરળતાથી આ નોટને અને તેની કિંમત ઓળખી શકે છે.