કોરોના વાયરસના કારણે ભારતીય ટીમના વધુ પડતા ખેલાડીઓ હજુ પણ મેદાન પર નથી ઉતર્યા. તેવામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) અથવા બીજી કોઇ દ્વિપક્ષીય સીરીઝમાં રમતા પહેલા ખેલાડીઓને પ્રેક્ટિસની જરૂર છે. ભારતીય ટીમના ખેલાડીઓને આ જરૂરિયાત દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પૂરી થવાની આશા છે, કારણ કે બીસીસીઆઈ અમદાવાદના મોટેરામાં બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં પોતાના કૉન્ટ્રેક્ટેડ પ્લેયર્સ માટે એક ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરવાનું નક્કી કરી ચૂક્યું છે.
સરદાર પટેલ સ્ટેડિયમમાં ક્રિકેટરોની ટ્રેનિંગ આગામી મહિનાથી શરૂ થશે
ભારતીય ક્રિકેટના સિતારાઓ મેજબાની કરવા માટે સમગ્ર રીતે તૈયાર
ભારતીય ખેલાડીઓ અંદાજિત 3 અઠવાડિયા સુધી કરશે પ્રેક્ટિસ
મોટેરામાં સરદાર પટેલ સ્ટેડિયમમાં પુનર્નિર્માણ બાદ પહેલી વખત જૈવ-સુરક્ષિત વાતાવરણમાં ક્રિકેટરોની ટ્રેનિંગ આગામી મહિનાથી શરૂ થશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટના સિતારાઓ મેજબાની કરવા માટે સમગ્ર રીતે તૈયાર છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્ટેડિયમમાં ટીમ માટે ટ્રેનિંગ કેમ્પની મેજબાની કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલી વખત થશે કે 5 વર્ષ બાદ 1 લાખ 10 હજારની દર્શક ક્ષમતા વાળા સ્ટેડિયમમાં ઉપયોગ કરવામાં આવશે.
મોટેરા સ્ટેડિયમને ફરી તોડીને બનાવવામાં આવ્યું છે. 5 વર્ષ પહેલા અહીં કોઇ મેચ રમાડવામાં આવી હતી, પરંતુ આ સ્ટેડિમય બન્યા બાદ પહેલી વખત ખેલાડીઓ આ મેદાનમાં ઉતરશે, પરંતુ કોરોના વાયરસ મહામારીને જોતા જૈવ-સુરક્ષિત વાતાવરણ બનાવવામાં આવશે, જેમાંથી ત્રણ અઠવાડિયા સુધી ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરશે.
ગુજરાત ક્રિકેટ એસોશિયેશન(GCA)ના સૂત્રોએ ખાનગી વાત કરતા કહ્યું કે, કાર્યક્રમ સ્થળ વિશે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે, પરંતુ હું તમને જણાવી શકું છું કે મોટેરા 18 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ભારતીય ટીમની મેજબાની કરવા જઇ રહ્યું છે.
નવીનીકરણ કરવામાં આવેલા આ સ્ટેડિયમે ભારતીયના ટ્રેનિંગ માટે ઉચ્ચ વિકલ્પના રૂપમાં જોવામાં આવશે, જ્યારે અમદાવાદ અને ધર્મશાળા બન્ને કેમ્પ માટે પસંદગીના સ્થાન માનવામાં આવ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે, આના નવીનીકરણ બાદ મોટેરા સ્ટેડિયમમાં જે સુવિધાઓ છે, તે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમોની બરાબર છે. મોટેરાની વિશાળતા ખેલાડિઓને જૈવ-સુરક્ષિત વાતાવરણ આપી શકે છે, જે મહામારી બાદ મહત્વપૂર્ણ માપદંડ બની ગયું છે. જોકે બીસીસીઆઇએ હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી કરી.