ભારતીય ક્રિકેટર સંજુ સેમસને ફેસબુક પર કેરળમાં પૂરને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સંજુ સેમસને કેરળમાં 15 લાખ રૂપિયાનું દાન કર્યુ છે. સંજુ સેમસને ફેસબુક પર લોકોને CM રિલીફ ફંડમાં દાન કરવાની અપીલ કરી છે. સંજુ સેમસને CM રિલીફ ફંડની લિંકને ફેસબુક પર ટેગ કરતા લખ્યુ કે આ સમય છે જ્યારે લોકોએ મદદ માટે આગળ આવવુ જોઇએ. સંજુ સેમસન સિવાય ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સહિતના ક્રિકેટરે કેરળમાં દાન માટે લોકોને અપીલ કરી છે. હરભજન સિંહ અને સાનિયા મિર્ઝા સહિતના સ્પોર્ટ્સ સ્ટાર્સે પણ કેરળમાં જોઇએ તેટલી મદદ કરવા કહ્યું છે.
સંજુ સેમસને મદદ માટે કર્યુ આહવાન
સંજુ સેમસને ફેસબુક પર સીએમ રિલીફ ફંડની લિંકને ટેગ કરતા લખ્યુ કે આ સમય છે જ્યારે લોકોએ મદદ માટે આગળ આવવુ જોઇએ. મે આ બધુ કોઇ પબ્લિસિટી માટે નથી કર્યુ આવી સ્થિતિમાં જેટલી મદદ કરવામાં આવે તેટલી ઓછી છે. આ પૂરમાં કેટલાક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવી દીધા છે. એવામાં લોકો સાથે ઉભા રહેવુ અને તેમની મદદ કરવાનો સમય છે. સંજુ સેમસન કેરળ તરફથી રણજી ક્રિકેટ રમે છે. આઇપીએલમાં પણ તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતો હતો.
વિરાટ કોહલીએ પણ કર્યુ ટ્વિટ
Everyone in Kerala please be safe and stay indoors as much as you can. Hope the situation recovers soon. Also thanking the Indian army and NDRF for their incredible support in this critical condition. Stay strong and stay safe.
વિરાટ કોહલીએ ટ્વિટ કરી કેરળ પૂરને લઇ ચિંતા વ્યક્ત કરી હતી. વિરાટ કોહલીએ લખ્યુ 'કેરળમાં દરેક કૃપયા સુરક્ષિત રહે અને જેટલુ બની શકે તેટલુ ઘરમાં જ રહે આશા છે કે સ્થિતિ બરાબર થઇ જશે. આ સિવાય આ મહત્વપૂર્ણ સ્થિતિમાં તેમના અવિશ્વસનીય સમર્થન માટે ભારતીય સેના અને એનડીઆરએફનો આભાર. મજબૂત રહો અને સુરક્ષિત રહો.'